Thursday, October 24, 2024
Homeરાજ્યહાલારકુન્નડ ગામના વાડી વિસ્તારમાં સર્પદંશથી માસુમ બાળકનું મોત

કુન્નડ ગામના વાડી વિસ્તારમાં સર્પદંશથી માસુમ બાળકનું મોત

- Advertisement -

જોડિયા તાલુકાના કુન્નડ ગામની સીમમાં આવેલા ખેતરમાં બપોરના સમયે ખાટલા પર પગ નીચે રાખી બેસેલા બાળકને સાંપ કરડી જતાં જામનગરની સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના કલમાજા ગામના વતની વિનુભાઇ સનીયાભાઈ મેહડા નામનો યુવાન તેના પરિવાર સાથે જોડિયા તાલુકાના કુન્નડ ગામની સીમમાં ખેતમજૂરી કરતા હતાં દરમિયાન ગત તા.04 જુલાઈના રોજ દિનેશ વિનુભાઈ મેહડા (ઉ.વ.8) નામનો બાળક ખેતરમાં ખાટલા ઉપર પગ નીચે રાખીને બપોરના સમયે બેઠો હતો તે દરમિયાન જમણા પગમાં સાંપ કરડી જતાં સારવાર માટે જોડિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાલત વધુ ગંભીર જણાતા જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં સારવાર દરમિયાન બાળકનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા વિનુભાઈ દ્વારા જાણ કરાતા હેકો કે કે જાટીયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો વધુ તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular