વધતી જતી મોંઘવારી વચ્ચે લોકોની આર્થિક હાલત ખરાબ થઈ રહી છે અને બીજી તરફ બેકારીના કારણે સ્થિતિ વધારે વણસી રહી છે.
ઈકોનોમીમાં સુસ્તીના કારણે બેકારીનો દર વધી ગયો છે ત્યારે દેશની રાજધાની દિલ્હીમાં બેકારીની ટકાવારી 45 ટકા સુધી પહોંચી ચુકી છે. બીજા શબ્દોમાં કહેવામાં આવે તો દિલ્હીમાં દરેક બીજો વ્યક્તિ બેકાર છે.જ્યારે હરિયાણામાં બેરોજગારી દર 29.1 ટકા અને તામિલનાડુમાં 28 ટકા છે. આ આંકડા સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી દ્વારા જાહેર કરાયા છે. જેમાં કહેવામાં આવ્યુ છે કે, દેશનો સરેરાશ બેરોજગારી દર 10.8 ટકા છે. મે મહિનામાં તે 11.9 ટકા હતો. શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર 12.9 ટકા અને ગ્રામ્ય વિસ્તારોમાં 9.8 ટકા છે. રાજ્ય પ્રમાણે બેકારીના આંકડામાં ગુજરાતનો દેખાવો ઘણો સારો છે. સૌથી ઓછી બેકારી જે રાજ્યોમાં છે તેમાં ગુજરાતનો પણ સમાવેશ થાય છે. રાજ્ય પ્રમાણેના ટકાવારીના આંકડા આ પ્રમાણે છે.
વ્યાપારિક સંગઠન કેટનુ કહેવુ છે કે, બજારમાં હજી પણ અનિશ્ર્ચિતાનો માહોલ છે. બજારો ખુલ્યા છે પણ લોકો પાસે કેશની અછત હોવાથી લોકો ખરીદી કરવાથી બચી રહ્યા છે અને બજારમાં તેજી આવી રહી નથી. બીજી તરફ કોરોનાની ત્રીજી લહેરની પણ આગાહી કરવામાં આવી છે. તેના કારણે માર્કેટમાં રોકાણ થઈ રહ્યુ નથી. વેપારીઓને ડર છે કે, જો ત્રીજી લહેર આવીને લોકડાઉન લાગુ થયુ તો પૈસા ફસાઈ શકે છે. જેના કારણે પણ માર્કેટમાં સુસ્તી દેખાઈ રહી છે. જોકે હવે લોકડાઉન હળવુ થઈ રહ્યુ છે ત્યારે આગામી મહિનાઓમાં બેકારીની સ્થિતિ સુધરી શકે છે.



