Monday, January 12, 2026
Homeરાજ્યજામનગરરાજ્યપાલ આચાર્ય દેવવ્રત જામનગર જીલ્લાની મુલાકાતે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત જામનગર જીલ્લાની મુલાકાતે

પ્રાકૃતિક ખેતી સંદર્ભે અધિકારીઓ સાથે બેઠક યોજી મીઠોઈ ગામે ખેડૂતો સાથે સંવાદ કરશે

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત બે દિવસ સુધી જામનગર જીલ્લાની મુલાકાતે છે. તા.11 ના રોજ સવારે 10:30 કલાકે તેઓનું જામનગર એરપોર્ટ આગમન થશે. ત્યારબાદ તેઓ સવારે 11 વાગ્યાથી સર્કીટ હાઉસ જામનગર ખાતે જીલ્લાના અધિકારીઓ અને આત્માના અધિકારીઓ સાથે પ્રાકુતક ખેતી સંદર્ભે બેઠક યોજશે. બપોરે તેઓ રિલાયન્સ જવા રવાના થશે. તા.12ના રોજ સવારે 10:45 કલાકે રાજ્યપાલ લાલપુર તાલુકાના મીઠોઈ ગામે ગ્રામજનો અને ખેડૂતો સાથે મુલાકાત કરશે. અને ત્યાંથી તેઓ દેવભૂમિ દ્વારકા જવા રવાના થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular