Saturday, September 21, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં યુવતીની અગમ્યકારણોસર આત્મહત્યા

જામનગર શહેરમાં યુવતીની અગમ્યકારણોસર આત્મહત્યા

નારાણયનગરમાં શનિવારે ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી : હોસ્પિટલમાં સારવાર કારગત ન નિવડી : પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

જામનગર શહેરમાં હરિયા કોલેજ પાસે આવેલા નારાયણનગરમાં રહેતી યુવતીએ શનિવારે બપોરના સમયે તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી તપાસ આરંભી હતી.

- Advertisement -

આત્મહત્યાના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં હરિયા કોલેજ પાસે આવેલા નારાયનગર શેરી નં.3 માં રહેતા જેન્તીભાઈ મુન્દ્રા નામના પટેલ પ્રૌઢની પુત્રી ગીતાબેન મુન્દ્રા (ઉ.વ.26) નામની યુવતીએ ગત શનિવારે બપોરના સમયે તેના ઘરે કોઇપણ કારણસર ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં યુવતીને બેશુધ્ધ હાલતમાં જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ અરૂણ દ્વારા જાણ કરાતા એએસઆઈ એ.જે. પોપાણીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચ જઈ મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular