Friday, December 5, 2025
Homeરાજ્યહાલારઅકળ કારણોસર આથમણા બારાના યુવાને જિંદગી ટૂંકાવી

અકળ કારણોસર આથમણા બારાના યુવાને જિંદગી ટૂંકાવી

દ્વારકા જિલ્લાના આથમણા બારા ગામમાં રહેતા યુવાને તેના ખેતરમાં અગમ્ય કારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હોવાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના આથમણા બારા ગામે રહેતા દિલીપસિંહ પબજીભાઈ જાડેજા નામના 35 વર્ષના યુવાને ગત તારીખ 2 ના રોજ રાત્રિના સમયે પોતાની વાડીએ કોઈ અકળ કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા તેમને સારવાર અર્થે અહીંની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ મહિપતસિંહ પબજીભાઈ જાડેજાએ સલાયા મરીન પોલીસને જાણ કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular