Saturday, October 19, 2024
Homeરાજ્યજામનગર તાલુકાના ચેલામાં બીમારીથી કંટાળી મહિલાનું અગ્નિસ્નાન

જામનગર તાલુકાના ચેલામાં બીમારીથી કંટાળી મહિલાનું અગ્નિસ્નાન

મંગળવારે સાંજે જાતે આગ લગાવી : પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

જામનગર તાલુકાના ચેલા ગામમાં રહેતાં મહિલાએ તેણીની બીમારીથી કંટાળીને અગ્નિસ્નાન કરતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

આ બનાવ અંગેની વિગત મુજબ જામનગર તાલુકાના ચેલા ગામમાં વજીરફળીમાં રહેતા દક્ષાબા ભૂપેન્દ્રસિંહ વાઢેર (ઉ.વ.40) નામના મહિલાને થાઈરોડ અને બ્લડપ્રેશરની બીમારી હોવાથી હલનચલન કરી શકતા ન હતાં. તેથી આવી જિંદગીથી કંટાળીને મંગળવારે સાંજના સમયે તેના ઘરે જાતે સળગી જઈ અગ્નિસ્નાન કરતાં ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કરતા આ અંગેની મૃતકના પતિ ભૂપેન્દ્રહિં દ્વારા જાણ કરાતા હેકો એસ.આર. ડાંગર તથા સ્ટાફ હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular