Thursday, March 26, 2026
Homeરાજ્યજામનગરજામનગરના વૃદ્ધની બિમારીથી કંટાળી આત્મહત્યા

જામનગરના વૃદ્ધની બિમારીથી કંટાળી આત્મહત્યા

શ્વાસની બિમારીથી ત્રસ્ત વૃદ્ધએ આયખું ટૂંકાવ્યું : પોલીસ દ્વારા કાર્યવાહી

જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાં રહેતાં વૃદ્ધએ બિમારીથી કંટાળી તેના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે કારણ જાણવા તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આત્મહત્યાના બનાવની મળતી વિગત મુજબ જામનગર શહેરમાં ગોકુલનગરની સાયોના શેરી નંબર 6-ડીમાં જયકિશનવાળી શેરીમાં વસવાટ કરતાં ખીમજીભાઇ ટપુભાઇ ભરડવા (ઉ.વ.63) નામના વૃદ્ધને શ્વાસની બિમારી હોય તેની સારવાર ચાલતી હતી. દરમ્યાન તબિયતમાં કોઇ ફેરફાર ન થતાં કંટાળેલા વૃદ્ધએ ગઇકાલે સાંજે સાતેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લેતા અરેરાટી મચી જવા પામી હતી. આ બનાવ અંગે મૃતકના પત્ની શારદાબેનએ જાણ કરતાં હે.કો. એમ. એમ. જાડેજા તથા સ્ટાફએ સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલવાની તજવીજ હાથ ધરી આગળની તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular