Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં ગળેફાંસો ખાઈ વૃધ્ધની આત્મહત્યા

જામનગર શહેરમાં ગળેફાંસો ખાઈ વૃધ્ધની આત્મહત્યા

જામનગર શહેરના રામેશ્વરનગર નવજીવન સોસાયટીમાં રહેતાં વૃદ્ધે આજે અગમ્યકારણોસર તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના રામેશ્વરનગર નવજીવન સોસાયટી 1 માં વિનાયક પાર્ક ગરબી ચોક નજીક રહેતાં ઉમેદસંગ જાડેજા (ઉ.વ.62) નામના વૃદ્ધે આજે સવારે કોઇ કારણસર તેના ઘરે લોખંડના પાઈપમાં પટ્ટા વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની જાણ થતા પોલીસકાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સ્થળ પરથી વૃધ્ધના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular