ખંભાળિયાના મોટા માંઢા ગામ તરફ તા. 8 માર્ચના રોજ જઇ રહેલા ટ્રેકટરના ચાલકનું રોડની ગોળાઇ ઉપર સ્ટીયરીંગનો કાબૂ ગૂમાવી દેતા ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર દરમ્યાન ગઇકાલે મોત નિપજયું હતું.

અકસ્માતના બનાવની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના કજુરડા ગામના પાટીયા પાસે રહેતા ભોલુભા લખુભા જાડેજા નામના 45 વર્ષના યુવાન ગત તારીખ 8 માર્ચના રોજ એક આસામીનું ટ્રેકટર લઈને નાના માંઢા ગામ તરફ જઈ રહ્યા હતા. ત્યારે રોડની ગોલાઈ પર અકસ્માતે આ ટ્રેક્ટર પલટી ખાઈ જતા તેમને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ સાથે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન ગુરુવારે તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવ અંગેની જાણ મૃતકના મોટાભાઈ જટુભા લખુભા જાડેજાએ કરતાં પોલીસે હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


