Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરમતદાર જાગૃતિના સંદેશ સહ 'દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટ 2022' યોજાશે

મતદાર જાગૃતિના સંદેશ સહ ‘દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટ 2022’ યોજાશે

વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 સંદર્ભે મતદાર જાગૃતિ અને કેળવણી (સ્વીપ) અંર્તગત જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર ડો. સૌરભ પારધી, નોડલ ઓફિસર (સ્વીપ), સીટી સર્વે સુપ્રિન્ટેન્ડેન્ટ, જિલ્લા રમત ગમત અધિકારી, જામનગરના માર્ગદર્શન હેઠળ આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટ, જામનગરના ટીમ મેનેજર વિવેકભાઈ મંગીની ‘આશા ટીમ’ સામે ટીમ મેનેજર બિપીનભાઈ અમૃતીયાની ‘દીપ ટીમ’ની 10 ઓવરની ખાસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આગામી તા.15 નવેમ્બરના રોજ સવારે 9 કલાકે ક્રિકેટ બંગલો, જામનગર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. દિવ્યાંગ સમુદાયને પ્રોત્સાહિત કરવા માટે જામનગરની જાહેર જનતાને ઉપસ્થિત રહેવા આશાદીપ વિકલાંગ કલ્યાણકારી ટ્રસ્ટના પ્રમુખ સતારભાઈ એમ. દરદાજાની યાદીમાં જણાવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular