Sunday, January 11, 2026
Homeરાજ્યઓખાના દરિયાકાંઠે પરપ્રાંતિય યુવાનનું અપમૃત્યુ

ઓખાના દરિયાકાંઠે પરપ્રાંતિય યુવાનનું અપમૃત્યુ

ઓખાના આર.કે. બંદર વિસ્તારમાં કલાદેવી નામની બોટમાં મૂળ સુરત જિલ્લાના પલસાણા તાલુકાના મોટા ફળિયા ખાતે રહેતા વિનોદભાઈ સુરેશભાઈ રાઠોડ નામના 27 વર્ષના હળપતિ યુવાન અન્ય ખલાસીઓ સાથે હતા ત્યારે તેને અચાનક ખેંચ આવતા શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. જેના કારણે હૃદયરોગનો કાતિલ હુમલો આવી જતા તેનું મૃત્યુ નીપજયું હોવાની જાણ લાલુભાઈ રાજુભાઈ રાઠોડએ ઓખા મરીન પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular