Saturday, January 10, 2026
Homeરાજ્યહાલારસલાયામાં વહાણમાં સુથારી કામ કરતા નીચે પટકાયેલા આધેડનું મૃત્યુ

સલાયામાં વહાણમાં સુથારી કામ કરતા નીચે પટકાયેલા આધેડનું મૃત્યુ

ખંભાળિયા તાલુકાના સલાયા ગામે ખારા નાકા વિસ્તારમાં એક વહાણમાં ચાલી રહેલા સુતારી કામ દરમિયાન આંધ્ર પ્રદેશ રાજ્યના ઇષ્ટ ગોદાવરી જિલ્લાના કોટિંગ તાલુકાના મૂળ વતની એવા બોજમીદી શ્રીનિવાસ સત્ય નારાયણ નામના 57 વર્ષના આધેડ એકાએક પગ લપસી જતા વહાણ નીચે પટકાઈ પડ્યા હતા. જેથી તેમને મૂર્છિત હાલતમાં વધુ સારવાર અર્થે અહીંની હોસ્પિટલમાં ખેસાડવામાં આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. આ બનાવની જાણ સુરુબાબુ મસલીયા નામના યુવાને સલાયા મરીન પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular