Friday, January 16, 2026
Homeરાજ્યજામનગરઆદેશ્વર ભગવાનના જન્મ-દિક્ષા કલ્યાણકની આંગીના દર્શન

આદેશ્વર ભગવાનના જન્મ-દિક્ષા કલ્યાણકની આંગીના દર્શન

જામનગર શહેરની મધ્યમાં આવેલ શેઠજી દેરાસરમાં મુળ નાયક ભગવાન પ્રથમ તિર્થંકર આદિનાથ દાદા બિરાજમાન છે. ગઇકાલે ભગવાનનો જન્મ-દિક્ષા કલ્યાણક હતો. જે વિશ્ર્વભરમાં ઉજવવામાં આવે છે. ત્યારે જામનગર શહેરમાં પ.પૂ.પં. પ્રવર સત્તબોધિવિજયજી મ.સા.ની નિશ્રામાં ઉજવવામાં આવ્યો હતો. જે અંતર્ગત રાત્રીના આદિનાથ દાદાને સોનાના વરખની આંગીનો શણગાર કરવામાં આવ્યો હતો. ભગવાનને પારણામાં રાખવામાં આવ્યા હતાં. જેનો લોકોએ પારણુ જુલાવી ધન્યતા અનુભવી હતી. ઉપરાંત ભગવાનના દિક્ષા કલ્યાણકની પ્રતિકૃતિના લોકોએ દર્શન કર્યા હતાં. દેરાસરની બહાર પટાંગણમાં રાત્રીના 9 વાગ્યાથી 11:30 સુધી મુંબઇના સંગીતકાર પારસભાઇ ગડાની પાર્ટીએ ભાવના ભણાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular