Saturday, December 13, 2025
Homeસમાચારરાષ્ટ્રીયબિહારમાં આજથી જાતિ આધારિત વસ્તી ગણતરીનો પ્રારંભ

બિહારમાં આજથી જાતિ આધારિત વસ્તી ગણતરીનો પ્રારંભ

બિહારમાં જાતિ આધારિત વસ્તી ગણતરીનો પ્રથમ તબક્કાનો આરંભ શનિવારથી થશે. પ્રથમ તબક્કામાં રહેણાંક મકાનો પર નંબર લગાવાશે. રાજ્યના મુખ્યમંત્રી નીતીશકુમારે પોતાની ‘સમાધાન યાત્રા’ દરમિયાન શુક્રવારે શિવહરમાં કહ્યું કે આ વસ્તી ગણતરી દરમિયાન ફક્ત જાતિઓની ગણતરી નહીં પરંતુ રાજ્યના દરેક પરિવાર અંગે સંપૂર્ણ માહિતી એકત્ર કરાશે. તેનાથી દેશના વિકાસમાં અને સમાજના ઉત્કર્ષમાં ખૂબ ફાયદો થશે. અહીંયા એ પણ નોંધવું રહ્યું કે બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે ગુરુવારે પશ્ચિમ ચંપારણ જિલ્લાથી પોતાની સમાધાન યાત્રાનો આરંભ કર્યો છે. એ 5 થી 29 જાન્યુઆરી સુધી પોતાની યાત્રા દરમિયાન સરકારી યોજનાઓની સમીક્ષા કરશે અને લોકો સાથે વાતચીત કરશે. મુખ્યમંત્રી આ યાત્રા દરમિયાન શિવહરમાં લોકો સાથે મુલાકાત કરશે. આ દરમિયાન મુખ્યમંત્રી નીતીશકુમારે જાતિ આધારિત વસ્તી ગણતરીના ફાયદા ગણાવ્યા હતા. બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે કહ્યું કે સમાધાન યાત્રાનો ઉદ્દેશ્ય લોકોની ફરિયાદો સમજવી અને તેમની સમસ્યાનું સમાધાન લાવવાનો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular