Sunday, September 8, 2024
Homeરાજ્યહાલારરસ્તા બાબતનું મનદુ:ખ રાખીને કેનેડીના યુવાન ઉપર હુમલો

રસ્તા બાબતનું મનદુ:ખ રાખીને કેનેડીના યુવાન ઉપર હુમલો

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના કેનેડી ગામે રહેતા પાછાભાઈ માલાભાઈ પરમાર નામના 45 વર્ષના રબારી યુવાન પોતાના માલઢોરને વાડે લઈ જવા માટે નીકળતી વખતે આ જ વિસ્તારમાં રહેતા રાજેશ ઉર્ફે માલો ગગાભાઈ પરમાર અને હરિભાઈ ગગાભાઈ પરમાર નામના બે શખ્સો સાથે રસ્તા બાબતનું મનદુ:ખ હોવાથી આ અંગેનો ખાર રાખીને બંને શખ્સોએ ફરિયાદી પાછાભાઈ રબારીને લાકડીના ધોકા તથા કડા વડે માર બેફામ માર માર્યો હતો.

- Advertisement -

એટલું જ નહીં, આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપતા આ સમગ્ર બનાવ અંગે બંને શખ્સો સામે આઈપીસી કલમ 323, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular