Tuesday, January 13, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં સમાધાન માટે બોલાવેલા પિતા-પુત્ર ઉપર હુમલો

જામનગરમાં સમાધાન માટે બોલાવેલા પિતા-પુત્ર ઉપર હુમલો

કાર સીઝ બાબતે અગાઉ થયેલી બોલાચાલીનું સમાધાન: સમાધાન માટે આવેલા પિતા-પુત્ર ઉપર શખ્સ દ્વારા લાકડાના ધોકા વડે હુમલો

જામનગર શહેરના નવાગામ ઘેડમાં મધુરમ રેસીડેન્સી વિસ્તારમાં રહેતાં વૃદ્ધ અને તેના પુત્ર સાથે કાર સીઝ બાબતે થયેલી બોલાચાલીમાં સમાધાન કરવા શખ્સે પિતા-પુત્ર ઉપર હુમલો કર્યો હતો.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલા મધુરમ રેસીડેન્સીમાં રહેતા જશુભા ઠેંગારજી જાડેજા નિવૃત્ત વૃદ્ધ અને તેના પુત્ર મહેન્દ્રસિંહને બાજુમાં રહેતાં પંકજ પાંડવ સાથે કાર સીઝ બાબતની બોલાચાલી થઈ હતી જેથી પિતા-પુત્રને સમાધાન માટે બોલાવી પંકજે રાજદિપસિંહ સાથે જેમ ફાવે તેમ ગાળો કાઢી બોલાચાલી કરી હતી અને ઝપાઝપી કર્યા બાદ વૃદ્ધ ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આ બનાવમાં અંગે જશુભા દ્વારા જાણ કરાતા પીએસઆઈ ડી. જી. રાજ તથા સ્ટાફે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular