જામનગર શહેરમાં જકાતનાકાથી હરીયા કોલેજ વાળા રોડ પર ડીપી કપાતને લઇ જામનગર મહાનગરપાલિકા ટીપી ડીપી શાખા દ્વારા 86 જેટલા આસામીઓને નોટીસ આપવામાં આવી હતી અને કપાતને લઇ બાંધકામો ખાલી કરવા માટે સુચના આપી હોય આસામીઓ દ્વારા સ્વેચ્છીક રીતે ડીમોલીશન હાથ ધર્યુ હતું. 30 મીટરનો ડીપી રોડ મંજુર થયો હોય જેને ઘ્યાને લઇ અપાયેલ નોટીસથી આસામીઓ દ્વારા સ્વેચ્છીક રીતે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે. 49200 ચોરસ મીટર જેટલી જગ્યા ખુલ્લી થશે.
View this post on Instagram


