દેશના ત્રણ મહત્વના એરપોર્ટ પરથી ઇન્ડિગોએ 550 થી વધુ ફ્લાઇટસ ગુરુવારે રદ કરી હતી. શુક્રવારે ઇન્ડિગોએ 400 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી, જેના કારણે વિવિધ એરપોર્ટ પર મોટી સંખ્યામાં મુસાફરો પ્રભાવિત થયા.સતત ત્રીજા દિવસે વિમાનના પ્રવાસીઓની મુશ્કેલીઓનો અંત આવ્યો ન હતો. મુંબઇ, દિલ્હી, બેંગ્લુરુ, ચેન્નઇ, હૈદ્રાબાદ, અમદાવાદ, કોલકત્તા એમ તમામ એરપોર્ટસ પર પ્રવાસીઓ હેરાન થયા હતા. તમામ ગરબડ માટે ઈન્ડિગોએ તમામ મુસાફરોની માફી માગી હતી.
સ્ટાફની અછતનો સામનો કરી રહેલી ઇન્ડિગો એરલાઇન્સની સમસ્યાઓ ચાલુ જ છે. ઇન્ડિગોએ આજે દેશભરમાં 400 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી. દિલ્હી એરપોર્ટ પર આજે નિર્ધારિત તમામ 235 ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. આનાથી વિવિધ એરપોર્ટ પર મોટી સંખ્યામાં મુસાફરોની મુસાફરી પર અસર પડી છે. અગાઉ, 500 થી વધુ ઇન્ડિગો ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર મોટાં એરપોર્ટના ટર્મિનલ પર પ્રવાસીઓનાં ટોળાં જામ્યા હોય અને ઈન્ડિગોના સ્ટાફ સાથે બોલાચાલી કરી રહ્યાં હોય તેવાં દ્રશ્યો વાયરલ થયાં હતાં. કેટલાય પ્રવાસીઓએને ફલાઈટ માટે છથી 12 કલાક સુધી રાહ જોવાનો વારો આવતાં તેમનાં બીપી વધી ગયાં હતાં સેંકડો પ્રવાસીઓ નિર્ધારિત ડોમેસ્ટિક એરપોર્ટ પર પહોંચી શક્યા ન હોવાથી કનેક્ટિંગ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટસ પણ ચૂકી ગયા હતા.
એક નિવેદનમાં, ઇન્ડિગોએ જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસમાં તેનું નેટવર્ક “નોંધપાત્ર રીતે ખોરવાઈ ગયું” છે અને ગ્રાહકોની માફી માંગે છે. એરલાઈને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ને જાણ કરી હતી કે 8 ડિસેમ્બરથી કોઈ ફ્લાઇટ વિલંબ થશે નહીં અને તે 10 ફેબ્રુઆરી સુધીમાં સ્થિર કામગીરી સંપૂર્ણપણે પુનઃસ્થાપિત થવાની અપેક્ષા રાખે છે. એરલાઈને સ્વીકાર્યું કે વ્યાપક વિક્ષેપો FDTL ધોરણોના બીજા તબક્કાના અમલીકરણમાં નબળા નિર્ણયો અને આયોજનની ખામીઓને કારણે હતા.
Passenger Advisory issued at 11:34 Hours#DelhiAirport #PassengerAdvisory #DELAdvisory pic.twitter.com/lVeV76itAW
— Delhi Airport (@DelhiAirport) December 5, 2025
ઇન્ડિગો એરલાઇન્સે દિલ્હી એરપોર્ટ પર આજે થનારી તેની બધી ફ્લાઇટ્સ રદ કરી દીધી છે. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે એરલાઇનની બધી 235 ફ્લાઇટ્સ આજે મધ્યરાત્રિ (11:59) સુધી રદ રહેશે. ગ્રાઉન્ડ ટીમ આ સમસ્યાના ઉકેલ માટે તમામ ભાગીદારો સાથે કામ કરી રહી છે. મુસાફરોને થયેલી અસુવિધા બદલ અમને દિલગીર છે.
દેશના વિવિધ એરપોર્ટ પર શું પરિસ્થિતિ છે?
• ૫ ડિસેમ્બર, ૨૦૨૫ ના રોજ, મુંબઈ એરપોર્ટ પર કુલ ૧૦૪ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી, જેમાં ૫૩ ડિપાર્ચર અને ૫૧ આગમન ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે.
• ૫ ડિસેમ્બરના રોજ, બેંગલુરુ એરપોર્ટ પર ૫૨ આગમન અને ૫૦ પ્રસ્થાન ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
• હૈદરાબાદ એરપોર્ટ પર 43 આગમન અને 49 પ્રસ્થાન ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
• ૫ ડિસેમ્બરના રોજ મધ્યરાત્રિ ૧૨ વાગ્યાથી સવારે ૮ વાગ્યા સુધી પુણે એરપોર્ટ ૧૬ આગમન અને ૧૬ પ્રસ્થાન ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી.
• ૪ ડિસેમ્બરે, તિરુવનંતપુરમ એરપોર્ટ પર ૫ આગમન અને ૫ પ્રસ્થાન ઇન્ડિગો ફ્લાઇટ્સ મોડી પડી હતી, જ્યારે ૫ ડિસેમ્બરે, અત્યાર સુધીમાં ૩-૩ ફ્લાઇટ્સ મોડી પડી છે અને તે જ દિવસે ૨ આગમન અને ૨ પ્રસ્થાન ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.
• કોલકાતા એરપોર્ટ પર 468 થી વધુ ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. 320 ફ્લાઇટ્સ મોડી પડી છે, જ્યારે 92 રદ કરવામાં આવી છે.
દિલ્હી એરપોર્ટે એડવાઈઝરી જારી કરી
દિલ્હી એરપોર્ટે સવારે 09:02 વાગ્યે એક પેસેન્જર એડવાઇઝરી જારી કરીને કહ્યું, “કેટલીક સ્થાનિક સેવાઓને અસર કરતી કામગીરી સમસ્યાઓને કારણે, ફ્લાઇટ્સ મોડી અને રદ થઈ રહી છે. અમે મુસાફરોને એરપોર્ટ પર જતા પહેલા તેમની એરલાઇન સાથે સીધી તેમની ફ્લાઇટ સ્ટેટસ તપાસવાની સલાહ આપીએ છીએ.


