Saturday, December 6, 2025
Homeરાજ્યગુજરાતશાળામાં આરટીઇ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાનો 30 માર્ચથી પ્રારંભ

શાળામાં આરટીઇ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાનો 30 માર્ચથી પ્રારંભ

રાજ્યમાં રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત પ્રવેશ માટે અરજી કરવાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે. દરેક માતા-પિતાની ઈચ્છા હોય છે કે તેમના સંતાનોને ઉત્તમ શિક્ષણ મેળવી શકે. જો કે કેટલાક પરિવારની આર્થિક પરિસ્થિતિના કારણે તેમના બાળકો સારી શાળામાં પ્રવેશ ન મળતા તેઓ મુંઝવણ અનુભવતા હોય છે. આ માટે રાજ્યમાં રાઈટ ટુ એજ્યુકેશનનો કાયદા હેઠળ કોઈપણ બાળક ધોરણ 1થી 8માં વિનામૂલ્યે ખાનગી શાળામાં ભણી શકે છે. બાળકોને પ્રાઇવેટ શાળાઓમાં સરકારના ખર્ચે ભણાવી શકાઈ છે. આ માટે ઓનલાઈ ફોર્મ ભરવાનુ હોય છે. દેશના દરેક બાળકને શિક્ષણ પ્રાપ્ત કરવાનો અધિકાર છે જેથી ખાનગી શાળાઓમાં કેટલીક સીટો આરટીઇ હેઠળના બાળકો માટે અનામત રાખવામાં આવે છે.

- Advertisement -

આ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. રાઈટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ માટે વાલીઓએ તારીખ 30મી માર્ચથી 11મી એપ્રિલ દરમિયાન અરજી કરવાની રહેશે. આ ઉપરાંત મહત્વની બાબત એ છે કે ધોરણ 1માં પ્રવેશ મેળવવા માટે બાળકની ઉમર 31મે 2023ના રોજ 6 વર્ષ પૂર્ણ થઈ ગઈ હોવી જરુરી છે. વાલીઓએ આરટીઇ માટેનું ફોર્મ ઓફિસિયલ વેબસાઈટ પરથી ભરવાનું રહેશે. આ માટેની વેબસાઈટ rte.orpgujarat.com છે. વેબસાઈટ પર ફોર્મ ભરતી વખતે જરુરી તમામ આધાર પુરાવા રજૂ કરવાના રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular