Tuesday, September 17, 2024
Homeરાજ્યહાલારમજૂરી કામ કરવા અંગેના ઠપકાનું લાગી આવતા યુવાને જિંદગી ટૂંકાવી

મજૂરી કામ કરવા અંગેના ઠપકાનું લાગી આવતા યુવાને જિંદગી ટૂંકાવી

અવરે રસ્તે ચડેલા યુવાનને સુધરી જઈ કામ ધંધો કરવા પરિવારજનોનો ઠપકો : મનમાં લાગી આવતા ગળેફાંસો ખાઈ આત્મહત્યા : પોલીસ દ્વારા કાર્યવાહી

- Advertisement -

જોડિયા તાલુકાના પીઠડ ગામના નવાવાસ વિસ્તારમાં રહેતો અને મજૂરી કામ કરતા યુવાનને આડા રસ્તેથી સુધરી જવા માટે અને કામ કરવા બાબતે પરિવારજનોએ આપેલા ઠપકાનું લાગી આવતા તેના ઘરે લુંગી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જોડિયા તાલુકાના પીઠડ ગામના નવાવાસ વિસ્તારમાં રહેતો મનોજ ઉર્ફે અખિલ આલાભાઈ પરમાર (ઉ.વ.25) નામનો યુવાન કોઇ કામ ધંધો કરતો ન હતો અને અવરા રસ્તે ચડી ગયો હોવાથી યુવાનના પરિવારજનોએ કામ ધંધો કરવા બાબતે તથા સુધરી જવા માટે ઠપકો આપ્યો હતો. આ ઠપકાનું મનમાં લાગી આવતા રવિવારે સવારના સમયે તેના ઘરે લુંગી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કરતા યુવાનને બેશુધ્ધ હાલતમાં જોડિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા આલાભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ આર.એમ. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએ માટે મોકલી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular