Tuesday, September 17, 2024
Homeરાજ્યહાલારસુતારીયાના મહિલાને હૃદયરોગનો જીવલેણ હુમલો

સુતારીયાના મહિલાને હૃદયરોગનો જીવલેણ હુમલો

- Advertisement -

ખંભાળિયા તાલુકાના સુતારીયા ગામમાં રહેતી મહિલાને ગઈકાલે તેણીના ઘરે હૃદયરોગનો હુમલો આવતા બેશુદ્ધ હાલતમાં હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ ખંભાળિયા તાલુકાના સુતારીયા ગામે રહેતા હિરલબેન કિશોરભાઈ પરમાર નામના 40 વર્ષના મહિલાને ગઈકાલે ગુરુવારે હૃદયરોગનો ઘાતક હુમલો આવતા સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ બનાવ અંગે મૃતકના પતિ કિશોરભાઈ રાજાભાઈ પરમાર દ્વારા જાણ કરાતા પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular