Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારબીજા દિવસે માવતરે જવાનું કહેતાં મહિલાએ દવા ગટગટાવી

બીજા દિવસે માવતરે જવાનું કહેતાં મહિલાએ દવા ગટગટાવી

જામજોધપુર ગામમાં બનાવ: સારવાર દરમિયાન મહિલાનું મોત : પોલીસ દ્વારા કાર્યવાહી

જામજોધપુર ગામમાં રહેતાં અને ખાનગી શાળામાં નોકરી કરતા મહિલાને માવતરે આંટો મારવા માટે બીજા દિવસે જવાનું કહેતાં મનમાં લાગી આવતા તેણીના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામજોધપુર ગામમાં એકસીસ બેંક રોડ પર રહેતાં અને ખાનગી સ્કૂલમાં ફરજ બજાવતા જ્યોત્સનાબેન ચેતનભાઈ ચિત્રોડા (ઉ.વ.37) નામના મહિલાને તેણીના માવતરે આંટો મારવા જવું હતું પરંતુ ચેતનભાઈએ બીજા દિવસે આંટો મારવા જવાનું કહેતાં મનમાં લાગી આવતા શુક્રવારે સવારે તેના ઘરમાં રહેલી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ મહિલાને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેનું સારવાર કારગત નિવડે તે પૂર્વે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતુું. આ અંગે મૃતકના પતિ ચેતનભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.જી.વસાવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular