Sunday, January 11, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં મંદિરમાંથી તસ્કર પૂજારીની થેલી લઇ પલાયન

જામનગરમાં મંદિરમાંથી તસ્કર પૂજારીની થેલી લઇ પલાયન

સમગ્ર ઘટના મંદિરના સીસીટીવી કેમેરામાં કેદ

જામનગર શહેરના આણાદાબાવા ચકલા વિસ્તારમાં દર્શનાર્થે આવેલા એક શખ્સે મંદિરના પૂજારીની થેલી ઉઠાંતરી કરી નાશી ગયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતાં પોલીસ દ્વારા આ અંગે તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

જામનગરના આંણદાબાવા ચકલામાં આવેલ શ્રી ત્રિવિક્રમરાયજી મંદિરમાં પુજારીએ રાખેલી બેંગની ઉઠાંતરી થઈ ગઈ હતી. જે બેગમાં મોબાઈલફોન અને મંદિરની ચાવીઓ રાખવામાં આવી હતી. જે તસ્કર ઉઠાવી ગયો છે. ચોરીની સમગ્ર ઘટના મંદિરમાં લાગેલા સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઈ હોવાથી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular