પોલીસ કર્મચારીઓમાં વધતા તણાવ તેમજ આત્મહત્યાના બનાવો અટકાવવા તેમજ વ્યસનમુકિત અર્થે જામનગર જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ તાલીમ ભવન ખાતે બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના પૂજય સંત જનમંગલ સ્વામીના પ્રેરણાત્મક કથા શ્રવણનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ઉપસ્થિત પોલીસ કર્મચારીઓને વ્યસન મુકિતના પાઠની સાથે સાથે તણાવ અટકાવવા માટે પ્રેરણાત્મક વકતવ્ય પણ આપવામાં આવ્યું હતું.