Sunday, January 11, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં પરપ્રાંતિય પ્રૌઢની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

જામનગરમાં પરપ્રાંતિય પ્રૌઢની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

જામનગર શહેરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતાં પરપ્રાંતિય પ્રૌઢે તેના ઘરે અગમ્ય કારણોસર છતના હુંકમાં પ્લાસ્ટિકની દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

- Advertisement -

બનાવની વિગત મુજબ,ઉત્તર પ્રદેશના ચાંદોગઢના તાલુકાના કુટરા ગામના વતની અને હાલ જામનગર શહેરમાં ડિફેન્સ કોલોની વિસ્તારમાં રહેતાં શેરસીંગ બલરામભાઈ કુશવાહ (ઉ.વ.55) નામના પ્રૌઢે શનિવારે મધ્યરાત્રિના સમયે તેના ઘરે અગમ્યકારણસર છતના હૂંકમાં પ્લાસ્ટિકની દોરી વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મૃતકના પુત્ર રાહુલ દ્વારા જાણ કરાતા એએસઆઈ કે.કે. નારિયા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી સંભાળી આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular