Sunday, September 8, 2024
Homeરાજ્યહાલારખંભાળિયાના રેલવે સ્ટેશન રોડ માટે રૂપિયા 1.41 કરોડની ગ્રાન્ટ ફાળવાઇ

ખંભાળિયાના રેલવે સ્ટેશન રોડ માટે રૂપિયા 1.41 કરોડની ગ્રાન્ટ ફાળવાઇ

- Advertisement -

ખંભાળિયા શહેરના અનેક રસ્તાઓ ખખડી ગયા હોય, જેના કારણે શહેરના વાહન ચાલકો તથા રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ અંગે તાજેતરમાં સતસ્વીર અખબારી અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ રેલવે સ્ટેશન માર્ગને નવેસરથી બનાવવા માટે સરકાર દ્વારા રૂ. 1.41 કરોડ મંજૂર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisement -

ખંભાળિયા શહેરમાં જામનગર તરફથી પ્રવેશવાના માર્ગ પર રેલવે સ્ટેશનથી નગર ગેઈટ સુધીનો રસ્તો ખૂબ જ ખખડી ગયેલો અને ઉબડખાબડ હોય, આ બાબતે નગરપાલિકા તંત્ર દ્વારા સરકાર સમક્ષ કરવામાં આવેલી રજૂઆતો સંદર્ભે આ રોડ રીસર્ફેસિંગની ગ્રાન્ટમાંથી સીસી રોડ બનાવવા માટે દરખાસ્ત પણ કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન દ્વારા સોમવારે સરકારની રોડ રીસર્ફેસિંગની ગ્રાન્ટમાંથી ખાસ કિસ્સા તરીકે આ રસ્તો સીસી રોડ બનાવવા માટે રૂપિયા 1.41 કરોડની સિદ્ધાંતિક મંજૂરી સાંપડી છે. આ રોડ નવ મીટર પહોળો સીસી રોડ બનાવવામાં આવશે. જેથી ખાસ કરીને વાહન ચાલકોને થતી હાલાકીમાંથી મુક્તિ મળશે તેમ નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન પરમારની યાદીમાં જણાવ્યું છે.

આ સાથે ખંભાળિયા નગરપાલિકા દ્વારા રોડ રીસર્ફેસિંગની ગ્રાન્ટ અન્વયે શહેરના અન્ય જુદા જુદા રસ્તાઓમાં પણ ડામરથી રીસર્ફેસિંગ કરવા માટે ચોથા પ્રયત્ન હેઠળ ઇ-ટેન્ડરીંગ કરવામાં આવ્યું છે. આ અંગેની પ્રક્રિયા પૂર્ણ થઈ અન્ય રસ્તાઓ પણ દૂરસ્ત કરવામાં આવશે તેમ વધુમાં જણાવ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular