Monday, January 12, 2026
Homeરાજ્યજામનગરગેસનો બાટલો ફાટતા દાઝી ગયેલ તરૂણનું સારવાર દરમિયાન મોત

ગેસનો બાટલો ફાટતા દાઝી ગયેલ તરૂણનું સારવાર દરમિયાન મોત

જામનગરના દરેડમા રહેતાં તરૂણ ગેસનો બાટલો લીકેજ થતા આગમાં દાઝી જતાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યાનું તબીબોએ જાહેર કરતા પોલીસ દ્વારા મૃતદેહને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગરના દરેડમાં પટેલ શેરી 90 ખોલી નંબર 16 માં ગત તા.28 માર્ચના રોજ ગેસનો બાટલો ફાટતા આગ લાગી હતી. આ આગમાં કુલુભાઈ યોગેન્દ્રભાઈ પાસવાન (ઉ.વ.14) નામના તરૂણ દાઝી જતાં સારવાર અર્થે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે એએસઆઈ ડી.સી. ગોહિલ દ્વારા મૃતદેહને પીએમ માટે મોકલી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular