Saturday, December 6, 2025
Homeરાજ્યહાલારપતિ સાથે છૂટાછેડા લેવાનું કહી ખંભાળિયાના મહિલાને બ્લેડ મારી

પતિ સાથે છૂટાછેડા લેવાનું કહી ખંભાળિયાના મહિલાને બ્લેડ મારી

ધમકી આપતી મહિલા સામે ગુનો

ખંભાળિયામાં પોલીસ સ્ટેશન પાછળના ભાગે કુંભારપાડામાં રહેતી બિલકીશબેન સમીરભાઈ પુપર નામની 22 વર્ષની મુસ્લિમ પરિણીતા ગત તારીખ 30મી ના રોજ તેણીના ઘરે સૂતી હતી, ત્યારે રાત્રિના આશરે ત્રણેક વાગ્યાના સમયે આ જ વિસ્તારમાં રહેતી આરતીબેન સીદીક ચૌહાણ નામની યુવતી તેણીના ઘરે આવી હતી અને “તું તારા પતિ સમીર સાથે છૂટાછેડા લઈ લે”- તેમ કહેતા ફરિયાદી બિલકીશબેનએ ના પાડતા આરતી ચૌહાણ ઉશ્કેરાઈ ગઈ હતી અને તેણી પાસે રહેલી બ્લેડ વડે બિલકીશબેનના ગળામાં બે કાપા મારી દીધા હતા.

- Advertisement -

આટલું જ નહીં આરોપી મહિલાએ ફરિયાદી બિલકીશબેનને પેટમાં લાતો મારતા કહેલ કે “તું તારા ઘરવાળા સાથે છૂટાછેડા લઈ લે, નહીંતર જીવતી નહીં રહેવા દઉં” તેમ કહી ઘરમાંથી નાસી ગઈ હતી.

આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા બિલકીશબેનને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ સમગ્ર બનાવવા અંગે ખંભાળિયા પોલીસે આરતીબેન સિદીક ચૌહાણ સામે આઇપીસી કલમ 380 તથા 457 મુજબ ગુનો નોંધી, આગળની કાર્યવાહી એએસઆઈ જે.પી. જાડેજાએ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular