Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરમોબાઇલમાં વ્યસ્ત બાળકોના યુગમાં યાદશકિતનો અનોખો કાર્યક્રમ - VIDEO

મોબાઇલમાં વ્યસ્ત બાળકોના યુગમાં યાદશકિતનો અનોખો કાર્યક્રમ – VIDEO

જામનગરમાં સૌપ્રથમ વખત બાળ શ્રાવક શતાવધન કાર્યક્રમ યોજાશે

જામનગરમાં આગામી તા.21ના રોજ ટાઉનહોલ ખાતે બાળ શ્રાવક શતાવધન કાર્યક્રમ યોજાનાર છે. જેમાં બાળકો 100 અવધન યાદશકિત વડે રજૂ કરશે આ અંગે રવિવારે યોજાયેલ પત્રકાર પરીષદમાં મહારાજ સાહેબોએ માહિતી પત્રકારોને આપી હતી.

- Advertisement -

જામનગરના ઇતિહાસમાં સૌપ્રથમ વખત બાળ શ્રાવક શતાવધનનું આયોજન કરવામાં આવ્યું છે. મુની ભગવંતો શતાવધન કરી ચૂકયા છે ત્યારે જામનગરમાં શ્રી સંઘના બાળકો શતાવધન કરવા જઇ રહ્યા છે. આ શતાવધન પ્રયોગમાં 100 અવધાન લખવામાં આવશે. જે બાળકો પોતાની યાદશકિત વડે આ તમામ અવધાનો કાગળ વિના મોઢે બોલશે જેમાં 0 થી 100 સુધીના ક્રમમાં, 100 થી 0 સુધીના ક્રમમાં તેમજ વચ્ચેના કોઇપણ નંબર પુછવામાં આવે તો તેની માહિતી આપશે અને માહિતી પુછવામાં આવે તો તેના નંબર પણ આપી દેશે આ માટે જામનગરમાં 165 જેટલા વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવી હતી. જેમાંથી તાલીમ પુર્ણ કરનાર અને સિલેકટ થયેલ 4 જેટલા તાલીમાર્થીઓ આગામી તા.21ના ટાઉન હોલ ખાતે કાર્યક્રમ રજૂ કરશે. તથા અન્ય 9 જેટલા તાલીમાર્થીઓ રનરઅપ રહ્યા હતાં.

- Advertisement -

તા.21 સપ્ટેમ્બરના સવારે 9 વાગ્યાથી ટાઉનહોલ ખાતે મોદી સ્કૂલ જામનગરના સૌજન્યથી યશોભારતી સંસ્કાર શાળા જૈન દર્શન ઉપાસકસંઘ (પેલેસ)જામનગર દ્વારા આ કાર્યક્રમ યોજાશે. જે બંધુબેલડી પરમ પૂજ્ય આચાર્ય શ્રી જિન-હેમચંદ્રસાગર સુરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન શતાવધાન શિક્ષાદાતા પરમ પૂજ્ય પંન્યાસ શ્રી તારકચંદ્રસાગરજી મ.સા. આદિ ઠાણાંની નિશ્રામાં કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમ અંગે રવિવારે પેલેસ દેરાસર ખાતે પત્રકારોને માહિતી આપવામાં આવી હતી.

જેમાં પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી જિન – હેમચંદ્ર સાગર સૂરીશ્વરજી મહારાજ સાહેબના શિષ્ય રત્ન પરમ પૂજ્ય શતાવધાન શિક્ષા દાતા પંન્યાસ પ્રવર શ્રી તારકચંદ્ર સાગરજી મહારાજ સાહેબ, પરમ પૂજ્ય મુનિશ્રી અર્હમચંદ્રસાગરજી મહારાજસાહેબે જરૂરી માહિતી પૂરી પાડી હતી.

- Advertisement -

વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસ વધારતા અને તેને ધર્મ તરફ જાગૃત કરતા આ શતાવધાન કાર્યક્રમ અંગે યોજાયેલ પત્રકાર પરિષદમાં આગેવાનો ડો. અમિતભાઈ મ્હેતા , મહેશભાઈ મ્હેતા, ચાર્ટર એકાઉન્ટ ભાવિન શાહ, રાજીવ શેઠ, હેમુભાઈ સુતરીયા, બીમલભાઈ વોરા અમિતભાઈ શાહ , ઋષિભાઈ, મોદી સ્કૂલ ના આચાર્ય સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular