Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરકાલાવડ નાકા બહાર જર્જરિત પૂલના કારણે ભારે વાહનો પર પ્રતિબંધ

કાલાવડ નાકા બહાર જર્જરિત પૂલના કારણે ભારે વાહનો પર પ્રતિબંધ

જામનગર મહાનગરપાલિકાની હદમાં આવેલા કાલાવડ નાકાથી કલ્યાણ ચોક તરફ જવાના રસ્તા પરની રંગમતિ નદી ઉપર આવેલો રીવર બ્રીજ જર્જરીત થઇ ગયો હોવાથી આ બ્રીજ પરથી તમામ પ્રકારના ભારે વાહનો નવો બ્રીજ ન બને ત્યાં સુધી સલામતીના કારણોસર બંધ કરવા માટે જાહેરનામું પ્રસિઘ્ધ કરી છે. આ જાહેર નોટીસ મહાનગરપાલિકાના કમિશનર ડી. એન. મોદી દ્વારા બીપીએમસી એક્ટ 1949ની કલમ 392 અનુસાર આ હુકમનો અનાદર કરનાર સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ઉપરાંત તમામ પ્રકારના ભારે વાહનો માટે વૈકલ્પિક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા માટે મહાપ્રભુજી બેઠકથી અન્નપૂર્ણા સર્કલ થઇ ત્રણ દરવાજા થઇ દરબારગઢ તરફ જઇ અવર-જવર કરી શકશે તેવું જાહેરનામુ પ્રસિઘ્ધ કર્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular