Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરગેસના બાટલામાં ઓછો ગેસ નિકળતા કલેટરને રજૂઆત

ગેસના બાટલામાં ઓછો ગેસ નિકળતા કલેટરને રજૂઆત

ગેસ કૌભાંડ અંગે તપાસ કરી પગલાં લેવા માંગણી

જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતાં રહેવાસીને ગેસના બાટલામાં ઓછો ગેસ આવ્યો હોય આ અંગે કલેકટરને આવેદનપત્ર પાઠવી આ કૌભાંડની તપાસ કરવા અને ગેસ કંપની વિરૂધ્ધ કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી હતી.

- Advertisement -

નવાગામ ઘેડમાં રહેતા ડાભી કાનજીભાઈ એ તા.27 એપ્રિલના રોજ ગેસનો બાટલો એજન્સીમાં રૂબરૂ લેવા ગયા હતાં જે ઈન્ડીયન ઓઈલ કંપનીનો બાટલો છે આ બાટલાનો વજન 14.2 બિલમાં દર્શાવ્યો હતો. પરંતુ વજન કરતા 2200 ગ્રામ ઓછો હતો. અગાઉ પણ ઓછો ગેસ આવ્યો આ અંગે ગેસ એજન્સીને રજૂઆત કરી હતી. પરંતુ, ગેસ એજન્સી કે કંપની દ્વારા ધ્યાન આપવામાં આવ્યું ન હતું. આ અંગે ફરી ગેસ એજન્સીમાં જ વજન કરાવતા ગેસ ઓછો આવેલ હોય આ અંગે તપાસ કરવા અને યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી હતી. આ તકે વોર્ડ નં.4 ના કોર્પોરેટર રચનાબેન નંદાણિયા, આનંદ ગોહિલ, સુભાષભાઈ ગુજરાતી સહિતના અગ્રણીઓ સાથે અરજદાર દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular