Friday, December 5, 2025
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાં મંદિરમાં સફાઈ કરતા સમયે પટકાતા વૃદ્ધનું મોત

જામનગર શહેરમાં મંદિરમાં સફાઈ કરતા સમયે પટકાતા વૃદ્ધનું મોત

જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આવેલા મયુર ટાઉનશીપમાં રહેતા વૃદ્ધ તેના ઘર નજીક હનુમાનજી મંદિરની સફાઈ કરતા હતાં ત્યારે નીચે પટકાતા ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં રણજીતસાગર રોડ પર આવેલા મયુરટાઉનશીપ-1 માં શેરી નં.6 માં રહેતાં બાબુગર લાલગર ગોસાઈ (ઉ.વ.62) નામના વૃદ્ધ ગુરૂવારે સવારના સમયે તેના ઘર નજીક આવેલા હનુમાનજી મંદિરે સાફ-સફાઈ કરતા હતાં તે દરમિયાન નીચે પટકાતા માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત વૃધ્ધને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવતાં જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પત્ની ધર્મિષ્ઠાબેન દ્વારા જાણ કરાતા હેકો એમ.એમ. ગોગરા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular