જામનગર શહેરના ગોકુલનગર પાણાખાણ વિસ્તારમાં કૌટુંબિક વિવાદના કારણે એક યુવકની હત્યા થઈ હોવાની ઘટના સામે આવી છે. પોલીસે આ મામલે આરોપી યુવાન તથા બે પુત્રને ઝડપી પાડ્યા છે.
મૃતક રોહિત પરમારની પત્ની રિસામણા બાદ પિયર ગયા હતા. રોહિત પરમાર સમજાવટ કરવા પોતાના સાઢુભાઈ નરેશ તુલસીભાઈ પરમારના ઘરે ગયા હતા. દરમિયાન બંને વચ્ચે બોલાચાલી થઈ, જે બાદ વિવાદ વધતા નરેશ પરમાર, તેનો પુત્ર સુજલ પરમાર અને એક કિશોરે રોહિત પર પાઈપ અને છરી વડે હુમલો કર્યો હતો.
View this post on Instagram
આ બનાવ અંગે પોલીસ દ્વારા નરેશ તુલસીભાઈ પરમાર, પુત્ર સુજલ પરમાર અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક કિશોરને ઝડપી પાડવામાં આવ્યા છે. હાલ મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી રહી છે.


