વિશ્વમાં શાંતિનો સંદેશ આપનાર 24માં તીર્થંકર મહાવીરસ્વામી ભગવાનનો આજે 2623મો જન્મ કલ્યાણક જામનગર શહેરમાં ઉજવવામાં આવ્યો હતો. જે ઉજવણી અંતર્ગત જામનગર શહેરના સમસ્ત જૈન સંઘોએ સવારે 6:45 વાગ્યે ચાંદીબજાર શેઠજી જિનાલયથી શોભાયાત્રા કાઢી હતી. જેમાં શ્રાવક-શ્રાવિકાઓ વિશાળ સંખ્યામાં જોડાયા હતાં. જેમાં શોભાયાત્રામાં જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી તથા સમાજના ભાઇઓ-બહેનોની સાથે ભગવાનના જન્મની ઉજવણી કરતાં જૈનમ જયતિ શાસનમ્ તથા ત્રિશલા નંદનકી જયના નારા સાથે ચામર તથા જૈન શાસનના જંડા સાથે ઝુમી ઉઠયા હતાં.


