જામનગર તાલુકાના ચંગા ગામ પાસે આવેલ રંગમતી ડેમમાં યાંત્રીક વિભાગ દ્વારા ડેમના તમામ ગેટ રીપેરીંગ તથા નવા બદલવાની કામગીરી કરવાની હોવાથી ડેમમાંથી નદીમાં પાણી છોડવામાં આવશે. 30 માર્ચના સવારે 7 વાગે 57.00 એમ.સી.એફ.ટી પાણી છોડવામાં આવશે. તેથી નિચાણ વારા વિસ્તારમાં આવતા જામનગર શહેર સહીતના 7 ગામને સાવચેત કરાયા છે. જેમાં ચંગા, ચેલા, દરેડ, જામનગર, નવાનાગના, જુનાનાગના, નવાગામ ધેડ ગામના નદીના પટમાં અવર જવર ના કરવા તેમજ સાવચેત રહેવા માટે સિંચાઈ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે. રંગમતી ડેમમાં રહેલા પાણીને કેનાલ મારફતે શહેરના રણમલ તળાવમાં ઠાલવવામાં આવશે.


