Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયહાઇપરલૂપ: Delhi-Jaipur મુસાફરી 5 કલાકથી હવે માત્ર 30 મિનિટમાં! જાણો ટેક્નોલોજીના આ...

હાઇપરલૂપ: Delhi-Jaipur મુસાફરી 5 કલાકથી હવે માત્ર 30 મિનિટમાં! જાણો ટેક્નોલોજીના આ ચમત્કાર વિશે

અત્યાર સુધી આપણે ટ્રેન, વિમાન, બસ અને કાર જેવા પરિવહનના માધ્યમો જોયા છે, પરંતુ હવે ભારત ‘હાઇપરલૂપ’ની દિશામાં એક મોટું પગલું ભરવા જઇ રહ્યું છે. દિલ્હી થી જયપુર માત્ર 30 મિનિટમાં? આ વાત હકીકત બની શકે છે, કેમકે ભારતની પ્રથમ હાઇપરલૂપ ટેસ્ટ ટ્રેક હવે તૈયાર થઇ ગઈ છે!

- Advertisement -

ભારતમાં પ્રથમ હાઇપરલૂપ પરીક્ષણ ટ્રેકIIT મદ્રાસનો મોટો પ્રોજેક્ટ

IIT મદ્રાસે રેલવે મંત્રાલયની સહાયથી 422 મીટર લાંબી હાઇપરલૂપ પરીક્ષણ ટ્રેક વિકસાવી છે. હાઇપરલૂપ એક નવા પ્રકારની હાઇ-સ્પીડ ટ્રાન્સપોર્ટેશન ટેક્નોલોજી છે, જેના દ્વારા 350 કિમીનું અંતર ફક્ત 30 મિનિટમાં કાપી શકાય છે. એટલે કે, જો આ ટેક્નોલોજી સંપૂર્ણ રીતે કાર્યરત બની જાય, તો દિલ્હી થી જયપુરના આશરે 300 કિમીનું અંતર પણ 30 મિનિટથી ઓછી મિનિટોમાં કાપી શકાશે!

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે આ સમાચાર X (પહેલાં Twitter) પર શેર કરતાં લખ્યું, “સરકાર અને શૈક્ષણિક સંસ્થાઓ વચ્ચેનું સહકાર futuristic transportation માટે નવીનતા લાવી રહ્યું છે.” IIT મદ્રાસમાં બનેલી આ ટેસ્ટ ટ્રેક માટે રેલવે મંત્રાલયે પણ નાણાંકીય સહાય આપી છે.

- Advertisement -

પ્રોજેક્ટની સફળતાથી ઉત્સાહિત થઈને અશ્વિની વૈષ્ણવે કહ્યું, “422 મીટરની પહેલી પોડ ટેક્નોલોજી વિકસાવવામાં ખૂબ મદદરૂપ થશે. પહેલાં બે ગ્રાન્ટ્સ પછી, હવે ત્રીજી વાર પણ IIT મદ્રાસને 1 મિલિયન ડોલરની ગ્રાન્ટ આપવામાં આવશે જેથી હાઇપરલૂપ પ્રોજેક્ટને વધુ વિકસાવી શકાય.”

- Advertisement -

હાઇપરલૂપ ટેક્નોલોજી શું છે?

હાઇપરલૂપને ‘પાંચમો પરિવહન મોડ’ પણ કહેવામાં આવે છે. તે એક વિશિષ્ટ ટેક્નોલોજી છે, જ્યાં ટ્રેન ખાસ બનાવેલી કેપ્સ્યુલ્સ (પોડ) દ્વારા વેક્યુમ ટ્યુબમાં ખૂબ ઊંચી ગતિએ દોડી શકે છે.

એક અધિકારીક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, “આ ટેક્નોલોજીમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક લીવીટેશન (ઉત્થાન) દ્વારા પોડ હવામાં તટસ્થ રહે છે. વેક્યુમ ટ્યુબમાં કોઇ ઘર્ષણ કે હવામાં અવરોધ ન હોય, તેથી પોડ મહત્તમ Mach 1.0 ગતિ સુધી પહોંચી શકે છે.”

Mach 1.0 એટલે લગભગ 1225 કિમી પ્રતિ કલાક (761 માઇલ પ્રતિ કલાક) ની ગતિ, જે વિમાનની સ્પીડ કરતા બે ગણી વધુ છે!

હાઇપરલૂપના ફાયદા

  • હવામાન પ્રભાવથી મુક્ત – વરસાદ કે ધૂંધ જેવી સમસ્યાઓ તેનો ગતિ પર પ્રભાવ નહીં પાડે.
  • ટક્કર મુક્ત (collision-free) પ્રવાસ – હાઇપરલૂપમાં અકસ્માતની શક્યતા લગભગ શૂન્ય હોય છે.
  • વિમાન કરતાં બે ગણી ઝડપ – વિમાનમાં જ્યાં 1 કલાક લાગે, ત્યાં હાઇપરલૂપ માત્ર 30 મિનિટમાં જ પહોંચાડી શકે.
  • ઓછી ઊર્જા વપરાશ – ઓછા વીજ વપરાશ સાથે 24×7 કાર્યરત રહે.

આગળનું પગલું ભારતમાં પ્રથમ હાઇપરલૂપ પ્રોજેક્ટ

રેલવે મંત્રાલયે હાઇપરલૂપ માટે દેશના પ્રથમ વ્યાપારીક પ્રોજેક્ટની તૈયારી શરૂ કરી છે. જો આ સફળ થશે, તો ભવિષ્યમાં ભારતના અન્ય શહેરો માટે પણ હાઇપરલૂપની વ્યવસ્થા ઉભી કરી શકાશે.

જો આ ટેક્નોલોજી હકીકત બને, તો મુસાફરીનો માહોલ બદલી જશે! ટ્રાફિક, લાંબા મુસાફરી સમય અને વિમાનના ખર્ચ કરતાં પણ એક ઝડપી અને સસ્તો વિકલ્પ ઉપલબ્ધ થશે. હવે જોવાનું એ છે કે ભારતમાં પહેલી હાઇપરલૂપ ટ્રેન ક્યારે દોડી શકે! 🚄✨

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular