Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરદરેડ ગામના રહેણાંક મકાનમાં આગ

દરેડ ગામના રહેણાંક મકાનમાં આગ

ઘરવખરી સળગીને ખાક : ફાયરવિભાગ પહોંચે તે પહેલાં આગ કાબુમાં : સદનસીબે જાનહાની ટળી

જામનગર તાલુકાના દરેડ ગામથી મસિતીયા જવાના માર્ગ પર આવેલા એક રહેણાંક મકાનમાં આજે સાંજના સમયે કોઈ કારણસર આગ લાગી હતી. આગ ફેલાઈ જતાં મકાનની ઘરવખરી સળગીને ખાક થઈ ગઈ હતી. બનાવની જાણ ના આધારે ફાયરટીમ ઘટના સ્થળે પહોચી ગઈ હતી. જો કે તે પૂર્વે આગ કાબુમાં આવી ગઈ હતી અને સદનસીબે કોઈ જાન હાની કે કોઈને ઇજા થઇ ના હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular