Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરબેડેશ્વરમાં બારદાનના ગોડાઉનમાં આગ

બેડેશ્વરમાં બારદાનના ગોડાઉનમાં આગ

જામનગરના બેડેશ્વરમાં સંજય મિલની પાસે આવેલ અરવિંદભાઇ ગોરીના ગોડાઉનમાં અકસ્માતે આગ ભભૂકી ઉઠી હતી. આગને કારણે ગોડાઉનમાં રહેલ બારદાનનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હતો. આ ઘટનાની ફાયર વિભાગને જાણ કરાતાં જામનગર મહાનગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઇ હતી અને ત્રણ ગાડી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી. સદ્નસિબે કોઇ જાનહાની થઇ ન હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular