Thursday, September 19, 2024
Homeરાજ્યગુજરાતરાજય સરકાર દ્વારા આઇએએસ ઓફિસરોની બદલી

રાજય સરકાર દ્વારા આઇએએસ ઓફિસરોની બદલી

- Advertisement -


ગુજરાતમાં નવી સરકાર રચાયા બાદ અંતે આઇએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. રાજય સરકાર દ્વારા રાજયના 10 આઇએએસ ઓફિસરની એકસાથે બદલી કરી છે. જેમાં મનોજ દાસ અને અશ્વિની કુમારને પોસ્ટીંગ આપવામાં આવ્યા છે.

રાજય સરકાર દ્વારા આઇએએસ અધિકારીઓને બદલીનો ધાણવો કાઢતા 10 અધિકારીઓની બદલી કરી છે. જેમાં મનોજ દાસ પાસે રેગ્યુલર પોર્ટનો હવાલો, નવા નાણા સચિવ તરીકે જે.પી.ગુપ્તા ને નિમણુંક અપાય છે. આ ઉપરાંત મિલિંદ તોરવણેને જીએસટીનો વધારાનો ચાર્જ અપાયો છે. અશ્વિની કુમારને સ્પોર્ટ્સમાં મુકવામાં આવ્યા છે. સી.વી.સોમ તેમજ બોટાદના કલેકટરની પણ બદલી કરવામાં આવી છે. તુષાર સુમેરાને ભરૂચના કલેક્ટર તરીકે તથા બિજલ શાહને બોટાદના કલેક્ટર તરીકે નિમણુંક કરવામાં આવ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular