Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરમોંઘવારી મુદ્દે જામનગર કોંગ્રેસ દ્વારા ભાજપ કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન

મોંઘવારી મુદ્દે જામનગર કોંગ્રેસ દ્વારા ભાજપ કાર્યાલય બહાર વિરોધ પ્રદર્શન

કાળઝાળ મોંઘવારીના વિરોધમાં છેલ્લા એક સપ્તાહથી જામનગર શહેરમાં વિરોધ પ્રદર્શન કરી રહેલી કોંગ્રેસે આજે મોંઘવારી મુદ્દે શહેર ભાજપ કાર્યાલય સામે જ મોરચો માંડયો હતો. કોંગી આગેવાનોએ કાર્યાલય બહાર ધરણાં ઉપર બેસી મોંઘવારીના વિરોધમાં બેનરો, પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતું. તે પહેલાં શહેરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં ફરીને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

- Advertisement -

છ દિવથસી વિરોધ પ્રદર્શન કરી રહેલી કોંગ્રેસ ભાજપ કાર્યાલય બહાર બેસીને રામધુન પણ બોલાવી હતી. દરમ્યાન ગઇકાલે રવિવારે આંદોલન દરમ્યાન પોલીસે કોંગ્રેસના કેટલાક કાર્યકરોની અટકાયત પણ કરી હતી. આ વિરોધ કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ દિગુભા જાડેજા, પ્રદેશ અગ્રણી યુસુફ ખફી, કોર્પોરેટર રચનાબેન નંદાણીયા સહિતના કોર્પોરેટરો અને આગેવાનો જોડાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular