જામનગરમાં વોર્ડ નં.4માં વિવિધ વિસ્તારોમાં થતી પીવાના પાણીની સમસ્યા અંગે કોર્પોરેટર દ્વારા કમિશ્નરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. અને આ સમસ્યાનું નિરાકરણ લાવવા માંગણી કરાઇ છે.
વોર્ડ નં.4ના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે વોર્ડ નં.4ના વિવિધ વિસ્તારમાં 10 મીનીટ પાણી ખરાબ આવે છે ત્યારબાદ સારૂ પાણીની શરૂઆત થાય છે આ અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ આવતો નથી આથી પાણી વિતરણના સમયમાં વધારો કરવામાં આવે કારણ કે શરૂઆતની 10 મીનીટ તો ખરાબ પાણી જવા દેવું પડે છે આથી આ અંગે યોગ્ય કાર્યવાહી કરવા માંગણી કરાઇ છે.


