Friday, September 20, 2024
Homeરાજ્યહાલારખંભાળિયા ઈ-ધરા કેન્દ્રમાં થતી હાલાકી અંગે મામલતદારને લેખિત રજૂઆતો

ખંભાળિયા ઈ-ધરા કેન્દ્રમાં થતી હાલાકી અંગે મામલતદારને લેખિત રજૂઆતો

- Advertisement -

ખંભાળિયા રેવન્યુ પ્રેક્ટિસનર્સ (એડવોકેટ) એસોસિએશન દ્વારા મામલતદાર કચેરીમાં તેઓને વિવિઘ કામગીરી માટે થતી વ્યાપક હાલાકી અંગે અવારનવાર લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. ખંભાળિયાની મામલતદાર કચેરીમાં ઈ-ધરા કેન્દ્રના અધિકારીને અવાર નવાર રજૂઆત કરવા છતાં વિવિધ હકક પત્રકની નોંધ પાડવામાં ન આવતા તેમજ ઈ-સ્ટેમ્પ સેન્ટર ઘણા સમયથી બંધ હોવા બાબત તથા ખેડૂત અરજદારોને પડતી મુશ્કેલીઓ બાબતે ગઈકાલે મંગળવારે અહીંના મામલતદારને રજૂઆત કરવામાં આવી હતી.

- Advertisement -

આ રજૂઆતમાં રેવન્યુ પ્રેક્ટિસનર (એડવોકેટ) એસોસિએશનના પ્રમુખ પી.પી. કાંબરીયા, ઉપપ્રમુખ સંજય આંબલીયા, માલદે ધમા, સેક્રેટરી વિપુલભાઈ ગોસાઈ તથા સલાહકાર સમિતિના એડવોકેટ સભ્યો તથા મંડળના તમામ વકીલો જોડાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular