Sunday, December 7, 2025
Homeરાજ્યગુજરાતબોજા અંગેના પ્રમાણપત્ર માટે અગાઉની સિસ્ટમ પુન: લાગુ કરવા વકીલોની માંગ

બોજા અંગેના પ્રમાણપત્ર માટે અગાઉની સિસ્ટમ પુન: લાગુ કરવા વકીલોની માંગ

ગુજરાતમાં સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેમ્પ વિભાગ – ગાંધીનગર તરફથી બોજા અંગેનું પ્રમાણ બંધ કરવામાં આવતા ખંભાળિયા સહિતના જુદા જુદા શહેરોમાં વકીલાત કરતા વકીલોમાં વ્યાપક રોષની લાગણી પ્રસરી જવા પામી છે.

- Advertisement -

વર્ષ 1993 થી 20 23 સુધીનું સર્ચ તથા બોજા અંગેનું પ્રમાણપત્ર લેવું બેંક માટે ફરજિયાત હોય છે. જે ઓનલાઇન કરવામાં આવતા વર્ષ 2007 થી 2023 સુધીનો આવે છે. પહોંચ લેવા માટે પણ ડબલ કાર્યવાહી કરવી પડતી હોય છે. આ રીતે સરકાર દ્વારા બોજા અંગેની કામગીરીની પ્રક્રિયા સરળ બનાવવાના બદલે આ પ્રક્રિયા વધુ ગૂંચવાડારૂપ બનાવવામાં આવી હોવા અંગેનો સૂર વકીલોમાં સાંભળવા મળે છે. ઓનલાઇન પ્રક્રિયામાં અવારનવાર નેટના હોવાના કારણે થતી હાલાકી ને નિવારવા અગાઉ જે જૂની પ્રક્રિયા હતી તે મુજબ ચાલુ રાખવા વકીલ મંડળ દ્વારા સંબંધિત તંત્ર સમક્ષ માંગ કરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular