નવરાત્રિમાં ઉપવાસમાં શું હેલ્ધી ખાવું જોઇએ...?

સવારે સામાન્ય પાણી 300 એમએલ જેટલું લઇ શકાય.

ત્યારબાદ આખી રાત પલાળેલી 6 નંગ જેવી બદામ લઇ શકાય. બદામની છાલ ઉતારીને ખાવી જોઇએ.

નાસ્તામાં ગાયનું દૂધ 300 એમએલ જેટલું, એક કેળું અને બે નંગ જેવી ખજુર લેવી જોઇએ.

ત્યારબાદ સવારનો નાસ્તો અને બપોરના ભોજન વચ્ચેના સમયમાં નાળિયેર પાણી અથવા તો લીંબુ પાણી એક ગ્લાસ જેવું લઇ શકાય છે.

ત્યારબાદ બપોરના ભોજનમાં રાજગરાની રોટી 2 નંગ અને ફરાળી દુધી કે સુરણ જેવી શાકભાજીને 150 એમએલ જેટલું દહીં લઇ શકાય છે.

મીડ ઈવનીંગમાં કોઇ પણ ફળ લઇ શકાય. સીઝનલ ફળો હંમેશા સ્વાસ્થ્યને સારું રાખે છે.

રાત્રિ ભોજનમાં જો એકટાણુ કરતા હોય તો દાળ, શાક, રોટલી લઇ શકો છો.

ઘણાં લોકો વ્રત દરમિયાન આખો દિવસ ભુખ્યા રહી રાત્રે એક જ વખતમાં વધુ જમે છે જે યોગ્ય નથી.