ગુજરાત
કલ્યાણપુરના લાંબા ગામે બે જૂથ વચ્ચે બઘડાટી: બંને પક્ષે સાત શખ્સો સામે ફરિયાદ
છરી તથા કુહાડી જેવા હથિયારોનો ઉપયોગ થયો

પ્રકાશિત
8 months agoon
By
ખબર ગુજરાત

ભૂમિ દ્વારકા જિલ્લાના લાંબા ગામની સીમમાં આવેલી એક કંપનીમાં કામ કરતા બે આસામીના પરિવારજનો વચ્ચે બઘડાટી બોલી ગઈ હતી. જેમાં સામ- સામા પક્ષે કુલ સાત સામે પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ બનાવની પોલીસ દફતરે જાહેર થયેલી વિગત મુજબ કલ્યાણપુર તાલુકાના લાંબા ગામની સીમ આવેલા એક વિસ્તારમાં નારણભાઈ રાવલીયા નામના એક આહીર વૃદ્ધ આ વિસ્તારની એક વીન્ડ ફાર્મ કંપનીમાં નોકરી કરતા હોય, જેઠાભાઈ મેરામણભાઈ વરુ નામના આસામી પવન ચક્કીની જગ્યામાં જે.સી.બી. વડે ખોદકામ કરતા હોવાથી ફરિયાદી હમીરભાઈ એ વિન્ડ ફાર્મની જગ્યાએ ખોદકામ કરવાની ના પાડતા આનાથી લાંબા ગામના રહેવાસી જેઠાભાઈ મેરામણભાઈ વરુ તથા તેમની સાથે આવેલા રમેશભાઈ જેઠાભાઈ વરુ અને દીપકભાઈ જેઠાભાઈ તથા દેવાભાઈ મેરામણભાઈ વરુ નામના ચાર શખસો ઉશ્કેરાઇ ગયા હતા અને બિભત્સ ગાળો કાઢી, કુહાડી તથા લાકડી વડે બેફામ માર મારી, ફરિયાદી હમીરભાઈને ઈજાઓ કરી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ સમગ્ર બનાવ અંગે કલ્યાણપુર પોલીસે હમીરભાઈ નારણભાઈ રાવલિયા (ઉ. વ. 35, રહે. લાંબા)ની ફરિયાદ પરથી ચારેય શખ્સો સામે આઈ.પી.સી. કલમ 325, 324, 504, 506 (2), 114 તથા જી. પી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સામા પક્ષે દેશુરભાઈ મેરામણભાઈ વરુ (ઉ. વ. 42, રહે. લાંબા) એ આ જ ગામના હમીરભાઈ નારણભાઈ રાવલીયા, અશોક નારણભાઈ રાવલીયા, રામભાઈ ધનાભાઇ રાવલીયા નામના ત્રણ શખ્સો ફરિયાદીના ભાઈ- ભત્રીજાને પથ્થરના છુટ્ટા ઘા મારી, છરી વડે હુમલો કરીને ઈજાઓ કર્યાની ફરિયાદ સ્થાનિક પોલીસમાં નોંધાવવામાં આવી છે.
આરોપી હમીરભાઈ અને અશોકભાઈના પિતા ભેલ કંપનીની પવનચક્કીમાં ચોકીદાર તરીકે નોકરી કરતા હોય અને આ કંપનીની પવનચક્કી પાસેની જમીન ફરિયાદી દેસુરભાઈના ભાઈ ઉપયોગ કરવા માટે જે. સી. બી. બંધ કરવા જણાવ્યું હતું. તે બાબતે મનદુખ રાખી ત્રણેય આરોપીઓ ફરિયાદી દેસુરભાઈના ભાઈના ઘર પર પથ્થર વડે ઉપર હુમલો કરી, ભાઈ જેઠાભાઈ મેરામણભાઈ તથા ભત્રીજા દીપક જેઠાભાઈ વરુને બિભત્સ ગાળો કાઢી, ઈજાઓ કર્યાની તથા મારી નાખવાના ઈરાદે છરી વડે ઘા માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 307, 337, 323, 504, 114 તથા જી. પી. એક્ટ. મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. પી. જી. રોહડિયાએ હાથ ધરી છે.
તમને વાંચવા ગમશે
-
ખંભાળિયા નગરપાલિકાની 28 બેઠકો માટે ભાજપામાં 132 દાવેદાર
-
જામનગરમાં બે જગ્યાએથી દારૂની ત્રણ બોટલ જપ્ત
-
યુવકે વ્યાજખોરોના ત્રાસથી ડરીને શરીરે ડીઝલ છાંટી જાત જાળવી
-
જિલ્લા-તાલુકા પંચાયતની કુલ 136 બેઠક માટે ભાજપામાં 537 દાવેદાર
-
બજેટ સત્ર દરમ્યાન સંસદસભ્ય દિલ્હીમાં
-
ભૂમાફિયા જયેશ પટેલને અદાલતમાં હાજર થવા જાહેરનામુ
ગુજરાત
ડુંગળીના ભાવો ઘટવાની શકયતા
મહુવા તથા ગોંડલ યાર્ડમાં ડુંગળીની ચિકકાર આવકો





પ્રકાશિત
6 hours agoon
January 28, 2021By
ખબર ગુજરાત

ડુંગળીના વેપાર માટે વિખ્યાત માર્કેટ યાર્ડ ચોમાસુ ડુંગળીની આવકથી ઉભરાયું હતું. બુધવારે યાર્ડમાં બે લાખ ગુણી લાલ ડુંગળીની આવક થઇ જતા નવી આવકમાટે પ્રવેશ બંધ કરવામાં આવ્ય હતો. મહુવા યાર્ડમાં આમ તો રોજ એકાદ લાખ ગુણીની હરાજી થઇ શકે છે.પણ અત્યારેનાના કટ્ટામાં ડુંગળી આવી રહી હોવાથી માંડ ચાલીસેક હજાર ગુણીનો નિકાલથઇ શકે છે. પરિણામે આવક જંગી થાય ત્યારે આવક બંધ કરવી પડે છે. ડુંગળીની ચિકકાર આવક છતાં ભાવ પર અસર થઇ નથી.માગ સારી રહેવાને લીધે ભાવ ગઇકાલે મણે રૂા.30 થી 40 વધ્યા હતાં. મહુવા ઉપરાંત ગોંડલ યાર્ડમાં પણ સફેદ તથા લાલ ડુંગળી મળીને કુલ એક લાખ ગુણી જેટલી આવક થવા પામી હતી.
મહુવા યાર્ડમાં આવક શરૂ કરાતા જ ફટાફટ આવક થવા લાગતા 2 લાખ ગુણી લાલ અને 1 લાખ ગુણી સફેદ ડુંગળી આવી હતી. આમ ગઇકાલે સવારે જ આવક બંધ કરી દેવામાં આવી હતી. લાલનો ભાવ મણે રૂા.300 થી 400 પ્રતિ 20 કિલો રહ્યો હતો. જયારે સફેદમાં રૂા.150 થી 220ના ભાવ થયા હતા. સફેદમાં હવે ડિહાઇડ્રેશન પ્લાન્ટ્સની ખરીદી શરૂ થઇ થઇ છે. લાલની રવાનગી ટ્રક મારફતે લોકલ તથા દેશાવરમાં થઇ રહી છે.
મહુવા યાર્ડના ચેરેમેન ઘનશ્યામભાઇ પટેલ કહે છે કે, અમારાં યાર્ડમાં બે લાખ ગુણીની આવક સામાન્ય ગણાય. સીઝનમાં સવા બે લાખ ગુણી સુધીનો માલ પણ આવે છે. જોકે, અત્યારે આવક બંધ કરવી પડે છે. તેનું કારણ નાના પેકિંગમાં આવતો માલ છે. ખેડૂતો નાના વકકલમાં ડુંગળી લાવી રહ્યા છે. એટલે હરાજી ફકત 40 હજાર વકકલ જેટલી થઇ શકે છે. પરિણામે યાર્ડમાં આવકબંધ કરવાનો વખત આવે છે. મહુવા યાર્ડમાં અન્યથા આવકો સતત ચાલુ જ હોય છે.
તેમણે કહ્યું કે, આ વર્ષે ઉંચા ભાવ રહ્યા હતા એ કારણે ખેડૂતોએ ખૂબ વાવેતર કર્યુ છે. અત્યારે ચોમાસું ડુંગળીની આવક મોટી છે. જો કે મહિના પછી પીળી પત્તીની રોપલીની આવક પણ થવાની છે.એ જોતા હવે પંદરેક દિવસ ડુંગળીના ભાવ સારા રહેશે. એ પછી ક્રમશ: ભાવ ઘટવાની સંભાવના છે.
બીજી તરફ ગોંડલ યાર્ડમાં પણ ચોમાસુ ડુંગળીની ચિકકાર આવક થઇ હતી. યાર્ડના ચેરમેન ગોપાલભાઇ શિંગાળાએ કહ્યું કે, યાર્ડમાં 1 લાખ કટ્ટા આવ્યા હતા. એમાંથી 80 હજાર કટ્ટા લાલ અને20 હજાર કટ્ટા સફેદના હતા. ડુંગળી માટે હવે ધીરે-ધીરે યાર્ડમાં જગ્યા કરાઇ રહી છે. જોકે, જંગી આવકને લીધે ડુંગળીના ટ્રક અને નાનાં મોટાં વાહનો પણ યાર્ડ બહાર કતાર જમાવીને ઉભા હતા.
સૌરાષ્ટ્રમાં હવે શિયાળુ પાકોની આવકની સીઝન જામવા લાગી છે. એ કારણે માર્કેટ યાર્ડો છલકાવાં લાગ્યાં છે.ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં લગભગ તમામ પાકોની આવક વધવાનીછે એટલે યાર્ડમાં વેપાર ધમધમશે.
ગુજરાત
કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી પહેલીએ, ભાજપાની યાદી 4 ફેબ્રુઆરીએ
કોંગ્રેસમાં અમુક વિસ્તારોમાં દાવેદારોની તંગી: ભાજપામાં વધુ દાવેદારો હોય પક્ષે વધુ ફિલ્ટર મૂકયા





પ્રકાશિત
6 hours agoon
January 28, 2021By
ખબર ગુજરાત

સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મેદાને ઉતારવા કોંગ્રેસે મુરતિયાઓની શોધખોળ આદરી છે. આ વખતે અમદાવાદ સહિત અન્ય શહેરોમાં મ્યુનિસિપલ કોર્પોરેશન ઉપરાંત તાલુકા-જિલ્લાપંચાયતની ચૂંટણી લડવા દાવેદારોનો રાફડો ફાટયો છે. જો કે, ઉમેદવારોની પસંદગીને તબકકાવાર ઉમેદવારોના નામ જાહેર કરે તેવી સંભાવના છે. કોંગ્રેસ 1 લી ફેબુ્રઆરીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરે તેવી શકયતા છે.
શહેરી વિસ્તારોમાં ભાજપાનો રાજકીય દબદબો યથાવત રહ્યો છે જેના કારણે કોંગ્રેસ છેલ્લાં કેટલાંક વર્ષોથી અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં સત્તાથી વંચિત રહી છે. આમ છતાંય કોંગ્રેસની ટીકીટ મેળવવા દાવેદારોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. અમદાવાદમાં એક એક વોર્ડમાં 30-40 દાવેદારોએ ઉમેદવારી નોંધાવી છે.અમદાવાદમાં 48 વોર્ડમાં કોંગ્રેસના 1227 દાવેદારોએ ચૂંટણી લડવા ઇચ્છા વ્યકત કરી છે. જેના પગલે પેનલ બનાવવી અઘરૂ બન્યું છે. ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં દાવેદારોએ ચૂંટણી લડવા ખુબ રસ દાખવ્યો છે. જયારે પશ્ર્ચિમમાં ઘડિયાળના કાંટા ઉલટા ફરતાં હોય તેવી સ્થિતિ છે, કેમ કે, અહીં કોંગ્રેસને યુવા ઉમેદવાર શોધ્યાં જડતા નથી. દાવેદારોની સંખ્યા પણ ઓછી છે.
મહાનગરપાલિકા, જિલ્લા તાલુકા પંચાયતમાં ટિકીટની ખેંચતાણને પગલે બળવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. ટિકીટની વહેંચણી બાદ ફરી એકવાર કોંગ્રેસમાં રાજીનામો દોર શરૂ થાયતેવો ઘુઘવાટ છે. અમદાવાદ શહેરમાં તો બે ધારાસભ્યો જેના પર હાથ મૂકશે તેની જ ટીકીટ ફાઇનલ ગણાશે. સિનિયર નેતાઓના બે-ચાર જૂથ વચ્ચે ખેચતાણ છે. જેના કારણે પાયાના કાર્યકરોને ટિકીટ મળે તેવી શકયતા ઓછી છે.
સૂત્રોના મતે, કોંગ્રેસ 1 લી ફેબ્રુઆરીએ ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરશે. પાંચમીએ આખરી યાદી જાહેર કરવાની કોંગ્રેસની ગણતરીછે. બળવાની શકયતાને જોતાં કેટલાંકને તો છેલ્લી ઘડીએ મેન્ડેટ આપી ફોર્મ ભરવા આદેશઆપી દેવાશે. આમ, કોંગ્રેસમાં તબકકાવાર ઉમેદવારો જાહેર કરવામાં આવશે.
અમદાવાદ સહિત અન્ય મહાનગરપાલિકાની ચૂંટણી લડવા ભાજપામાં દાવેદારોનો રાફડો ફાટયો છે. આગામી તા.1,2,3જી ફેબ્રુઆરીએ કમલમમાં ભાજપાની પાર્લામેન્ટ્રી બોર્ડ મળનાર છે જેમાં 6 મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉમેદવારોની પસંદગી કરાશે. ભાજપ ચોથી એ ઉમેદવારોના નામોની ઘોષણા કરે તેમ છે.
મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપ પ્રદેશપ્રમુખ સી.આર.પાટીલે માપદંડો ઘડયા છે.જેમાં 55 વર્ષથી વધુ વયના લોકોને ટિકીટ નહીં અપાય.માત્ર યુવા ચહેરાને પ્રાધાન્ય આપવા નકકી કરાયુ છે. આ વખતે આ દાવેદારો પૈકી રામમંદિર ઉપરાંત સમર્પણ નિધીમાં ફંડ આપનારાને પહેલી તક અપાશે. જો કે, નવા માપદંડોને કારણે કેટલાંયના પત્તા આ વખતે કપાઇ જશે. આ ઉપરાંત એવુ ય નકકી કરાયુ છે કે, પૂર્વ ધારાસભ્યો ય ચૂંટણી લડી શકાશે નહીં. આ ઉપરાંત સિનીયરનેતાઓને પણ તક નહીં મળે. સાથે સાથે નિરીક્ષકોને એ વાતની પણ સૂચના આપવામાં આવી છે કે, જે દાવેદાર કપાયાં હોય તેના કારણો પણ નિરીક્ષકોએ રજૂ કરવા પડશે.
પેટા ચૂંટણીમાં કિલન સ્વીપ બાદ ભાજપા ફૂલફોર્મમાં છે. પેજ સમિતિના જોરે મ્યુનિ.કોર્પોરેશન, તાલુકા જિલ્લા પંચાયતમાં ભારે બહુમતીથી જીત મેળવવાનું ભાજપે લક્ષ્યાંક રાખ્યું છે. ત્યારે આગામી તા. 1,2,3જી ફેબુ્રઆરીએ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે જેમાં નિરીક્ષકોએ પસંદ કરેલાં દાવેદારોના નામ પર ચર્ચા કરાશે અને પસંદગીની આખરી મહોર મારવામાં આવશે.
ગુજરાત
વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના, બે સગા ભાઈઓ સહીત ચારના મોત





પ્રકાશિત
7 hours agoon
January 28, 2021By
ખબર ગુજરાત

આજે વહેલી સવારે ચારેક વાગ્યાના સમયે મોરબીમાં હીટ એન્ડ રનની ઘટના બની છે. જેમાં બે સગા ભાઈઓ અને સાળા-બનેવી સહીત ચાર લોકોના મૃત્યુ નીપજતા અરેરાટી છવાઈ ગઈ છે. એક અજાણ્યા વાહને બાઈકને અડફેટે લેતા ગોઝારો અકસ્માત સર્જાયો છે. આ ચારેય મૃતકો મૂળ રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે.
રાજ્યમાં જીવલેણ અકસ્માતોની ઘટના ઉત્તરોતર વધી રહી છે. આજે વહેલી સવારે મોરબીના માળિયા ફાટક નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં રાજસ્થાનના ઉદયપુર ખાતે રહેતા ચાર લોકોના મૃત્યુ નીપજ્યા છે. અને એક ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. એક અજાણ્યા વાહન ચાલકે બાઈકને અડફેટે લેતા તેજારામ વખતારામ ગામેતી (ઉ.૧૭), શિવાજીભાઈ પ્રતાપભાઈ ગામેતી (ઉ.૧૯), સુરેશ પ્રતાપભાઈ ગામેતી (ઉ.૧૮) અને મનાલાલ ઉમેદજી કળાવા (ઉ.૧૯) ના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા જ્યારે દિનેશ શંભુભાઈ નામના વ્યક્તિને ઇજા થતા સારવાર અર્થે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.



ખંભાળિયા નગરપાલિકાની 28 બેઠકો માટે ભાજપામાં 132 દાવેદાર


જામનગરમાં બે જગ્યાએથી દારૂની ત્રણ બોટલ જપ્ત


યુવકે વ્યાજખોરોના ત્રાસથી ડરીને શરીરે ડીઝલ છાંટી જાત જાળવી
ટ્રેન્ડીંગ
-
રાજ્ય2 weeks ago
અગ્રણીના પુત્રને ચડેલો BMWનો નશો ઉતારતી પોલીસ
-
જામનગર3 weeks ago
હત્યાના ગુનામાં બે વર્ષથી ફરારી આરોપીને ઝડપી લેતુ એલસીબી
-
જામનગર3 weeks ago
જામનગર શહેરમાંથી ક્રિકેટનો ડબ્બો ચલાવતા બે શખ્સ ઝડપાયા
-
રાજ્ય1 week ago
ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પર સોનારડી નજીક બે કાર વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત