ગુજરાત
વડોદરામાં સ્પામાલિકે રશિયન સુંદરીને ‘મા’ બનાવી : સ્પા માલિકની પત્ની આગબબૂલા…

પ્રકાશિત
2 months agoon
By
ખબર ગુજરાત

સમયના વહેવા સાથે, ગુજરાતમાં એવી વાસ્તવિકતાઓ બહાર આવી રહી છે જે કોઇ દિલચશ્પ કહાની જેવી બની રહે છે. આવો એક કિસ્સો વડોદરામાં બન્યો છે. મામલો અદાલતમાં છે. મસાજ થેરાપિસ્ટ તરીકે વડોદરામાં નોકરી કરતી એક રશિયન મહિલા ‘મા’ બનતાં, કહાનીમાં ટિવસ્ટ આવ્યો છે.
વડોદરામાં સ્પા ચલાવતાં એક ધંધાર્થીએ પોતાના સ્પામાં એક રશિયન મહિલાને મસાજ થેરાપિસ્ટ તરીકે નોકરીએ રાખી હતી. સ્પા માલિક તથા આ મહિલા વચ્ચે સંબંધ સ્થપાયા પછી આગળ વધ્યો હતો અને એક તબકકે આ રશિયન મહિલા ‘મા’ બની હતી. ત્યારબાદ આ મહિલાએ પોતાના સંતાનના પિતા તરીકે સ્પા માલિકનું નામ જન્મના પ્રમાણપત્રમાં દાખલ કરાવવા માટે અદાલતનો આશરો લીધો હતો. અદાલતે બાળકના જન્મ પ્રમાણપત્રમાં બાળકના પિતાનું નામ લખવાનો આદેશ આપ્યો હતો.
ત્યારબાદ આ ઇન્ડો-રશિયન કહાનીમાં વળાંક આવ્યો છે. સ્પા માલિકની પત્નીએ આ રશિયન મહિલા વિરૂધ્ધ વ્યભિચાર સહિતના આક્ષેપો સાથેની એફઆઇઆર નોંધાવી છે. આ ઉપરાંત ઘરેલું હિંસાના કાયદા હેઠળ સ્પા માલિકની પત્નીએ પોતાના પતિ વિરૂધ્ધ પણ ફરિયાદ નોંધાવી છે. આ મામલો અદાલતમાં પહોંચ્યા પછી સ્થાનિક અદાલતે પ્રાથમિક સુનાવણી બાદ પોલીસને એવો આદેશ આપ્યો છે કે, આ ફરિયાદના અનુસંધાને હાલમાં રશિયન મહિલા અથવા સ્પા માલિક વિરૂધ્ધ કોઇ કાર્યવાહી કરવામાં ન આવે અને 15મી ડિસેમ્બરે આ મામલાની સુનાવણી કરવામાં આવશે. દરમ્યાન સ્પા માલિકે પણ અદાલતમાં પોતાની ધરપકડ સામે રક્ષણ મેળવવા અરજી કરી છે. અદાલતે સરકારને સ્પા માલિકના આગોતરા જામીન અંગે નોટિસ મોકલાવી છે અને હાઇકોર્ટે આ મામલામાં હાલ સ્પા માલિકની ધરપકડ ન કરવામાં આવે એવો આદેશ આપ્યો છે.
સમગ્ર વડોદરા શહેરમાં આ કિસ્સાએ ચકચાર જગાવી છે અને આગામી દિવસોમાં આ પ્રકરણમાં કેવા વળાંકો આવશે ? તે અંગે શહેરભરમાં ચર્ચા છે. અત્રે નોંધનિય છે કે, સમગ્ર ગુજરાતના મધ્યમ સ્તરના તેમજ મહાનગરોમાં સંખ્યાબંધ સ્પા આવેલા છે અને થાઇલેન્ડ તથા રશિયા સહિતના દેશોની સંખ્યાબંધ મહિલાઓ આ પ્રકારના સ્પામાં મસાજ થેરાપિસ્ટ તરીકે સર્વિસ કરે છે. સમગ્ર ગુજરાતમાં સ્પા કલ્ચર છેલ્લાં પ-10 વર્ષમાં મોટાપાયે વિકસ્યું છે. જેમાં નાના-મોટા અપરાધો બનતાં રહે છે.
તમને વાંચવા ગમશે
-
સ્ટોક માર્કેટ વિશેષ 24-01-2021
-
મોંઘવારી મુદ્દે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી
-
લગ્ન પહેલાં વરુણ ધવન ની કારને અકસ્માત નડ્યો
-
CM રૂપાણી એ મોઢેરામાં ઉત્તરાર્ધ મહોત્સવ ખુલ્લો મુક્યો
-
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણી અન્વયે ભાજપા નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ
-
ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરની વાટાઘાટો નો પ્રારંભ
ગુજરાત
CM રૂપાણી એ મોઢેરામાં ઉત્તરાર્ધ મહોત્સવ ખુલ્લો મુક્યો





પ્રકાશિત
14 hours agoon
January 24, 2021By
ખબર ગુજરાત

સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ એવા ઐતિહાસિક મોઢેરા સૂર્યમંદિર (Modhera Sun Temple)ના પ્રાંગણમાં દર વર્ષની જેમ આ વખતે પણ રાજ્ય સરકાર દ્વારા ‘ઉત્તરાર્ધ મહોત્સવ’ (uttarardh mahotsav 2021)નો પ્રારંભ થયો. કોરોના મહામારી વચ્ચે આજરોજ રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી (CM Vijay Rupani) દ્વારા ગાંધીનગરથી ઇ લોકાપર્ણ કરવામાં આવ્યું હતું. સીએમ વિજય રૂપાણીએ કહ્યું કે, શિલ્પ કલાના ઉત્કૃષ્ટ સ્થાપત્યો ગુજરાતમાં આગવું સ્થાન ધરાવે છે. સૂર્ય મંદિરનો વરસાદનો વાયરલ વિડીયો 33 મિલિયન લોકોએ નિહાળ્યો હતો. સંગીત,નૃત્ય અને કલા સ્થાપત્યનો ત્રિવેણી સંગમ એટલે જ ઉત્તરાર્ધ મહોત્સવ. ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે કલા અને સ્થાપત્ય સાથે નૃત્યના આ અનોખા સંગમનો નજારો આજે મોઢેરા સૂર્ય મંદીર ખાતે જોવા મળ્યો હતો.
મોઢેરા સુર્યમંદિરના પટાંગણમાં વિવિધ નૃત્ય પ્રદર્શન કરી નૃત્યકારોએ પ્રાચીન શૈલીને જીવંત રાખવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. કલાકારો અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા ખૂબ સુંદર તૈયારીઓ કરવામાં આવી હતી. મોઢેરા સૂર્ય મંદિર, સૂર્ય કુંડને આબેહૂબ રંગબેરંગી રોશની કરવામાં આવી હતી, જેનાથી મંદિર અને મંદિર પરિસર સોળે કળાએ ખીલી ઉઠ્યું હતું. રોશનીથી ઝગમગાટ સૂર્ય મંદિર ઉપસ્થિત સૌ કોઈ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું.
પ્રાચીન નગરી મોઢેરા ખાતે આ સૂર્ય મંદિરના વર્ષો જુના સ્થાપત્યને લોકો જુવે અને આ મંદિર પરિસરમાં કલાના કામણ પાથરીને સૂર્ય દેવની અર્ચના શાસ્ત્રીય નૃત્ય દ્વારા કરવામાં આવે અને કલાકારોને સારું પ્લેટફોર્મ મળી રહે તે આશયથી રાજ્ય સરકાર દ્વારા આ ઉત્તરાર્ધ મહોત્સવનો પ્રારંભ આજે કરવામાં આવ્યો હતો, જેમાં કલાકારોએ જુદી જુદી પોતાની કલાના કામણ પાથરીને લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. દર વર્ષે 2 દિવસ માટે આ મહોત્સવ ઉજવાય છે, પરંતુ આ વર્ષે કોરોનાના કારણે ફફ્ત 1 દિવસ ઉજવણી કરવામાં આવી હતી. તેમાં પણ ફફ્ત આમંત્રિત મહેમાનોને પ્રવેશ અપાયો હતો અને લોકો ઘરે બેસી આ કાર્યકમ નિહાળી શકે તે માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરાઈ હતી.


રાજયના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજયના આરોગ્ય વિભાગના 18 અધિકારીઓને હંગામી ધોરણે નવા સ્કેલ સાથે બઢતી આપી વિવિધ જિલ્લામથકોએ નિયુકિત કરવામાં આવી છે.
જામનગરમાં આરસીએચઓ તરીકે ફરજ બજાવતા ડો.એ.જી.બથવારને મુખ્ય આરોગ્ય અધિકારી તરીકે બઢતી આપવામાં આવી છે. આ ઉપરાંત વડોદરાના ડો.આર.આર.ફિનાવકરને વડોદરાથી બઢતી આપી દ્વારકા જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી તરીકે તથા પોરબંદરના આરસીએચઓ ડો.કે.જે.દવેને પોરબંદરના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે બઢતી આપવામાં આવી છે.
ગુજરાત
રાજ્યમાં 13 ખાણ ખનિજ અધિકારીની તત્કાલિક અસરથી સામુહિક બદલી
દ્વારકા જિલ્લામાં અંજારથી ઘનશ્યામ અરેઠિયા મુકાયા





પ્રકાશિત
1 day agoon
January 23, 2021By
ખબર ગુજરાત

ગુજરાત રાજ્યના જિલ્લા જુદા-જુદા જિલ્લાઓમાં ફરજ બજાવતા મદદનીશ ભૂસ્તરશાસ્ત્રી વર્ગ-2ના અધિકારીઓની સામૂહિક બદલીના ઓર્ડર ગઈકાલે શુક્રવારે રાજ્યકક્ષાએથી થયા છે. જેમાં અંજાર (કચ્છ- પૂર્વ)ના ઘનશ્યામ અરેઠીયાને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. આ ઉપરાંત ગીર સોમનાથના જગદીશભાઈ વાઢેરને રાજકોટ, પંચમહાલના એમ.એચ. શેખને નર્મદા, આણંદના વિપુલ સોલંકીને મુખ્ય કચેરી- ગાંધીનગર, સુરતના એ.ડી. ચૌધરીને વલસાડ, બનાસકાંઠાના મિત પરમારને મહેસાણા, સુરેન્દ્રનગરના કિરણ પરમારને આણંદ, પોરબંદરના વાય.કે. મહેતાને ભુજ (કચ્છ- પશ્ચિમ) મુખ્ય કચેરી- ગાંધીનગરના મન ચૌધરીને અરવલ્લી, મહિસાગરના રવિ મિસ્ત્રીને મુખ્ય કચેરી- ગાંધીનગર, જૂનાગઢના યશ જોશીને મુખ્ય કચેરી- ગાંધીનગર, જ્યારે ગાંધીનગર સ્થિત મુખ્ય કચેરીના આર્જવ શુક્લાને બોટાદ તથા સુરતના પીઆર સિંગને અંજાર (કચ્છ- પૂર્વ) ખાતે મુકવામાં આવ્યા છે.


સ્ટોક માર્કેટ વિશેષ 24-01-2021


મોંઘવારી મુદ્દે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારને ઘેરી


લગ્ન પહેલાં વરુણ ધવન ની કારને અકસ્માત નડ્યો
ટ્રેન્ડીંગ
-
રાજ્ય1 week ago
અગ્રણીના પુત્રને ચડેલો BMWનો નશો ઉતારતી પોલીસ
-
જામનગર3 weeks ago
હત્યાના ગુનામાં બે વર્ષથી ફરારી આરોપીને ઝડપી લેતુ એલસીબી
-
જામનગર3 weeks ago
જામનગર શહેરમાંથી ક્રિકેટનો ડબ્બો ચલાવતા બે શખ્સ ઝડપાયા
-
રાજ્ય7 days ago
ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પર સોનારડી નજીક બે કાર વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત