જામનગર
જામનગર જિલ્લામાં માત્ર નવ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
24 કલાક દરમિયાન શહેરમાં 8 અને ગ્રામ્યમાં 1 પોઝિટિવ કેસ : 16 દર્દીઓએ કોરોનાને માત આપી

પ્રકાશિત
1 week agoon
By
ખબર ગુજરાત

જામનગર શહેર અને જિલ્લામાં આખરે કોરોનાનો પ્રકોપ ઘટ્યો છે અને કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યાનો આંકડો સિંગલ ડિઝીટમાં આવ્યો છે. જામનગરની જી.જી હોસ્પિટલમાં જામનગર શહેરના 08 પોઝેટીવ કેસ નોંધાયા હતા જ્યારે ગ્રામ્યનો માત્ર 01 પોઝિટિવ કેસ નોંધાયો છે જ્યારે એક દર્દીએ જામનગરની જી.જી. હોસ્પિટલના બિછાને દમ તોડયો છે. જોકે તેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જ્યારે 16 દર્દીઓને રજા મળી છે.
જામનગર શહેર અને જિલ્લામાં કોરોનાએ શરૂઆતમાં કાળો કહેર વર્તાવ્યો હતો અને મૃત્યુનો દર ખૂબ જ ઊંચો ગયો હતો. એપ્રિલ મહિનાથી મૃત્યુનો સિલસિલો શરૂ થયો હતો અને 6 જાન્યુઆરી 2021 સુધીમાં કુલ 1000 દર્દીઓના મૃત્યુ નિપજયા છે. દરમિયાન 24 કલાક દરમિયાન જામનગરની ગુરુ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં વધુ એક દર્દીનું મૃત્યુ થયું છે. જેથી મૃત્યુનો આંક 1,009 નો થયો છે.
જામનગર જિલ્લામાં કોરોનાનો પ્રકોપ ફરીથી ઘટ્યો છે અને દર્દીઓની સંખ્યાનો આંકડો ફરીથી સિંગલ ડિજિટમાં આવી ગયો છે. જામનગર શહેરના નવા 08 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારનો માત્ર 01 કેસ મળી કુલ 09 પોઝિટિવ કેસ નોંધાયા છે. તેની સામે જામનગર શહેરના કુલ 11 દર્દીઓને અને ગ્રામ્યના 05 દર્દીઓ સહિત કુલ 16 દર્દીઓને રજા આપવામાં આવી છે.
જામનગર શહેરનો કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 7,687 નો થયો છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારનો આંકડો 2,295 નો થયો છે અને સમગ્ર જિલ્લામાં કુલ 9,986 લોકો કોરોના સંક્રમિત બન્યા છે.
તમને વાંચવા ગમશે
-
જામનગરમાં અંધાશ્રમ પાસે આવાસમાં બે જૂથો વચ્ચે અથડામણ : પોલીસ ઘટના સ્થળે
-
ભારતની વેકસીન પાકિસ્તાન પણ જશે !
-
છ રાજયોની દર્દભરી દાસ્તાન: લોકો વેકસીન લેવા ઇચ્છતા નથી !
-
પ્રઘાનમંત્રી-મુખ્યમંત્રીઓ બીજા તબક્કામાં લેશે વેકિસન
-
વેકસીન લીધાં પછી, 48 કલાક બાદ તબીબનું મૃત્યુ !
-
વોર્ડ નં. – 13 | Ward no.-13, ખબર નગરની વાત વોર્ડની
જામનગર
છોટીકાશીના બાલા હનુમાન સંકિર્તન મંદિર દ્વારા રામમંદિર નિર્માણ માટે નિધિ અર્પણ
સંતો-મહંતો અને શહેરના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં મંદિર ખાતે કાર્યક્રમ





પ્રકાશિત
4 hours agoon
January 23, 2021By
ખબર ગુજરાત

રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે આગામી ફેબ્રુઆરીથી રામમંદિર નિર્માણનો ભવ્ય કાર્યક્રમ શરૂ થઇ રહ્યો છે. આ કામગીરી 3 વર્ષ કરતાં વધુ સમય સુધી ચાલશે. અને મર્યાદા પુરૂષોતમ શ્રી રામ ભગવાનનું સમગ્ર દેશનું સૌથી ભવ્ય મંદિર નિર્માણ પામશે. આ મહાનિર્માણના કામમાં કરોડો દેશવાસીઓને જોડવામાં આવ્યા છે. જામનગર સહિત સમગ્ર દેશમાં ભવ્ય રામમંદિર નિર્માણ માટે નિધિ(ફંડ) એકત્રીકરણ કાર્યક્રમ વ્યાપક સ્તરે ચાલી રહ્યો છે. અત્યાર સુધીમાં આ મહાનિર્માણ માટે દેશભરમાંથી કરોડો રૂપિયાનું એકત્રિકરણ થઇ ચૂકયું છે. ફેબ્રુઆરી માસ દરમ્યાન પણ સમગ્ર દેશમાં નિધિ એકત્રિકરણ કામગીરી કરવામાં આવશે.
છોટીકાશી જામનગરમાં પ્રણામી સંપ્રદાય, આણંદાબાવા સેવા સંસ્થા તથા મોટી હવેલી સંપ્રદાય દ્વારા આ નિધિ એકત્રિકરણમાં પ્રત્યેક સંપ્રદાય દ્વારા રૂા.5,55,555ના ચેક તાજેતરમાં અર્પણ કરવામાં આવ્યાં હતાં. ત્યારબાદ આજે શનિવારે સાંજે જામનગરમાં તળાવની પાળે આવેલાં વિશ્વ પ્રસિધ્ધ શ્રી બાલા હનુમાન સંકિર્તન મંદિર ખાતે નિધિ અર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
પ્રણામી સંપ્રદાયના આચાર્ય શ્રી કૃષ્ણમણિજી મહારાજ, સ્વામીનારાયણ સંપ્રદાયના કોઠારી સ્વામી શાસ્ત્રી શ્રી ચતુર્ભુજદાસજી મહારાજ તથા ખિજડા મંદિરના શ્રી લક્ષ્મણદાસજી મહારાજની પ્રેરક ઉપસ્થિતિમાં બાલા હનુમાન સંકિર્તન મંદિર ટ્રસ્ટના પ્રમુખ ડો.કિશોર દવે તથા સિનિયર ટ્રસ્ટી વિનુભાઇ તન્ના દ્વારા વિશ્વ હિંદુ પરિષદ દ્વારા જામનગર જિલ્લા અધ્યક્ષ ભરતભાઇ ફલીયાને બાલા હનુમાન મંદિર દ્વારા રૂા.5,55,555નો ચેક નિધિ તરીકે અર્પણ કરવામાં આવ્યો હતો. આ તકે, અગ્રણી બિઝનેસમેન કનુભાઇ કોટક, જામનગર ફેકટરી ઓનર્સ એસો.ના પ્રેસિડેન્ટ લાખાભાઇ કેશવાલા તથા વેપારી અગ્રણી અરવિંદભાઇ પાબારી સહિતના શહેરના અગ્રણી શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા અને સંતોને વંદન કરી આર્શિવાદ પ્રાપ્ત કર્યા હતાં.
જામનગર
જામનગરમાં યુવકની ગળેફાંસો ખાઇ આત્મહત્યા





પ્રકાશિત
6 hours agoon
January 23, 2021By
ખબર ગુજરાત

જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં રહેતા યુવકે કોઇ અકળ કારણોસર તેના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી. લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રહેતી યુવતી તેણીના ઘરે દૂધ ગરમ કરવા જતા સમયે અકસ્માતે દાઝી જતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
જામનગર શહેરના સાધના કોલોની એમ-75 સામે આવેલા મયુર બંગલોમાં રહેતા પ્રશાંતભાઈ શુકલાનો પુત્ર ધ્રુવ શુકલા (ઉ.વ.18) નામના વિપ્ર યુવકે શુક્રવારે બપોરના સમયે તેના ઘરે કોઇ અકળ કારણોસર પંખામાં કપડુ બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની મેહુલભાઈ દ્વારા કરાયેલી જાણના આધારે હેકો ડી.કે. ચૌહાણ તથા સ્ટાફે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, લાલપુર તાલુકાના જોગવડ ગામમાં રહેતા વાલીબેન જાલુભાઈ ધોડા નામની યુવતી ગત તા.16 ના રોજ સાંજના સમયે તેના ઘરે દૂધ ગરમ કરતી હતી તે દરમિયાન પવનના કારણે ચૂલાના ઝાળ કપડામાં અડી જતા શરીરે ગંભીર રીતે દાઝી ગઈ હતી જેથી યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. પાલરભાઈ દ્વારા જાણ કરાતા એએસઆઈ આર. આર. કરંગીયા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
જામનગર
1 અથવા 2 ફેબ્રુઆરીએ રજૂ થશે જામ્યુકોનું બજેટ
કર દર દરખાસ્તોમાં કોઇ ફેરફાર કરી શકાશે નહીં





પ્રકાશિત
6 hours agoon
January 23, 2021By
ખબર ગુજરાત

આગામી 1 અથવા 2 ફેબ્રુઆરીએ જામનગર મહાપાલિકાનું બજેટ રજૂ થશે. આ માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. હાલ જામ્યુકોની સામાન્ય સભા અસ્તિત્વમાં ન હોય આ બજેટમાં કોઇપણ નીતિ વિષયક દરખાસ્ત કે નિર્ણયો કરવામાં આવશે નહીં. જામનગર મહાપાલિકાનું નાણાંકિય વર્ષ 2021-22નું બજેટ આગામી 1 અથવા 2 ફેબ્રુઆરીએ રજૂ કરવા માટેની તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. ચીફ એકાઉન્ટન્ટ દ્વારા બજેટને કમિશનર સમક્ષ રજૂ કરવામાં આવશે અને કમિશનર જ તેને મંજૂરી આપશે. જો કે, આ બજેટને અંતિમ મંજૂરી કોણ આપશે તે હજુ નિશ્ર્ચિત નથી. અત્રે ઉલ્લેખનિય છે કે, નિયમ મુજબ 20 ફેબ્રુઆરી પહેલાં બજેટને સામાન્ય સભામાં બહાલી આપી દેવાની હોય છે. પરંતુ 20 ફેબ્રુઆરી સુધીમાં નવી બોડી રચાઇ તેવી સંભાવના ઓછી હોય હાલ તૂર્ત કમિશનર જ આ બજેટને મંજૂરી આપશે અને આગળનો નિર્ણય રાજય સરકારની સૂચના મુજબ કરવામાં આવશે. પ્રાપ્ત જાણકારી અનુસાર બજેટની દરખાસ્તો રાબેતા મુજબની હશે. જેમાં હાલના કર દર જે છે તે પ્રમાણે જ રાખવામાં આવશે. જો કે, કાયદાકિય જોગવાઇ મુજબ નવી બોડી આવ્યા બાદ પુરક બજેટ રજૂ કરીને નવી કર દરની દરખાસ્તો કરી શકે છે. ઉપરાંત નીતિ વિષયક બાબતોનો પણ ઉમેરો કરી શકાય છે.



જામનગરમાં ચૂંટણી આચારસંહિતાના અમલ સાથે હોર્ડીંગ્સ હટાવવાની કાર્યવાહીનો પ્રારંભ


છોટીકાશીના બાલા હનુમાન સંકિર્તન મંદિર દ્વારા રામમંદિર નિર્માણ માટે નિધિ અર્પણ


દ્વારકામાં પ્રજાસતાકપર્વની જિલ્લા કક્ષાની ઉજવણી
ટ્રેન્ડીંગ
-
રાજ્ય1 week ago
અગ્રણીના પુત્રને ચડેલો BMWનો નશો ઉતારતી પોલીસ
-
જામનગર3 weeks ago
હત્યાના ગુનામાં બે વર્ષથી ફરારી આરોપીને ઝડપી લેતુ એલસીબી
-
જામનગર3 weeks ago
જામનગર શહેરમાંથી ક્રિકેટનો ડબ્બો ચલાવતા બે શખ્સ ઝડપાયા
-
રાજ્ય6 days ago
ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પર સોનારડી નજીક બે કાર વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત