રાષ્ટ્રીય
આરોગ્ય અંગેનો કેન્દ્રનો રિપોર્ટ

પ્રકાશિત
2 months agoon
By
ખબર ગુજરાત

શહેર હોય કે ગામ, આજેય સૌથી વધુ દર્દીઓ સારવાર માટે ખાનગી ડોકટર કે ક્લિનિકમાં જ જાય છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના 2019-20ના રિપોર્ટ પ્રમાણે, ગ્રામિણ વિસ્તારોમાં 41 ટકા દર્દીઓ ખાનગી ડોકટરો અને ક્લિનિકની સારવાર પર જ વિશ્વાસ કરે છે. ગ્રામિણ વિસ્તારોમાં હોસ્પિટલોની રીતે જોઇએ તો 21 ટકા ખાનગી હોસ્પિટલોમાં અને 33 ટકા લોકો સરકારી હોસ્પિટલોમાં સારવાર કરાવે છે. શહેરોમાં 44 ટકા સિંગલ ડોકટર પર નિર્ભર છે, 28 ટકા ખાનગી હોસ્પિટલોમાં અને 26 ટકા સરકારી હોસ્પિટલોમાં સારવાર લે છે. ગામડાંની તુલનામાં શહેરોમાં 25 ટકા વધુએ હોસ્પિટલોમાં ભરતી થવું પડે છે.
સરકારી હોસ્પિટલોમાં લોકો કેન્સર પાછળ 22,520 રૂપિયાનો તથા ખાનગી હોસ્પિટલોમાં 93,305 રૂપિયાનો ખર્ચ કરે છે. ન્યુરોલોજિકલ બિમારી માટે લોકો સરકારી હોસ્પિટલમાં 7,235 રૂપિયાનો અને ખાનગી હોસ્પિટલમાં 41,249 રૂપિયાનો ખર્ચ કરે છે. હાર્ટના દર્દીઓ સરકારી હોસ્પિટલમાં 6,635 રૂપિયાનો અને ખાનગી હોસ્પિટલમાં 54,970 રૂપિયાનો ખર્ચ કરે છે. પેટ સંબંધિત દર્દીઓની સંખ્યા 9.9 ટકા, હૃદય સંબંધિત દર્દીઓની સંખ્યા 9.1 ટકા, શ્વાસ સંબંધિત દર્દીઓની સંખ્યા 4.2 ટકા, ઇજાઓને કારણે હોસ્પિટલમાં ભરતી થતાં લોકોની સંખ્યા 11.2 ટકા અને જુદા-જુદા પ્રકારના ચેપને કારણે ફેલાતા રોગોને પરિણામે હોસ્પિટલમાં દાખલ થતાં દર્દીઓની સંખ્યા 31 ટકા હોવાનું જાણવા મળ્યું છે. રિપોર્ટ કહે છે, ગ્રામ્ય વિસ્તારનો નાગરિક હોસ્પિટલમાં સરેરાશ 16,676 રૂપિયાનો ખર્ચ કરે છે. તેની સામે શહેરના લોકો 26,475 રૂપિયાનો ખર્ચ કરે છે. વસ્તી અને ઉંમરની દ્રષ્ટિએ જોઇએ તો દર એક હજાર લોકોમાંથી 183 દર્દીઓ 60 વર્ષથી વધુ વયના હોય છે અને પ થી 14 વર્ષના બાળકો 14 હોય છે. આમ દર એક હજાર દર્દીઓ પૈકી 197 દર્દીઓ આ બે વય જૂથના હોવાનું રિપોર્ટમાં જાહેર થયું છે. આ રિપોર્ટ કેન્દ્ર સરકારના આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવ્યો છે.
તમને વાંચવા ગમશે
-
જામવાડીમાં માનસિક બીમારીથી કંટાળી યુવાને જિંદગી ટૂંકાવી
-
ભાણવડ તાલુકા સેવાસદન ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
-
જામનગર બાર એસોસીએશન દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
-
હિન્દુ સેના દ્વારા ગણતંત્ર દિવસની અનોખી ઉજવણી
-
ખંભાળિયા ખાતે યોજાયેલ પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં જિલ્લા કલેકટરના હસ્તે ધ્વજવંદન
-
EXCLUSIVE: ગણતંત્રદિન નિમિત્તે પીએમ મોદીએ પહેરેલ પાઘડી બનાવી છે જામનગરના આ વ્યક્તિએ
રાષ્ટ્રીય
રૂા.90,000 કરોડ, 1350 કિમી. : દેશનો સૌથી લાંબો એકસપ્રેસ હાઇ-વે
2018માં શરૂ થયેલો અને 2023માં પૂર્ણ થનાર આ રાજમાર્ગની વિશેષતાઓ જાણો





પ્રકાશિત
4 hours agoon
January 26, 2021By
ખબર ગુજરાત

દેશની રાજધાની દિલ્હી અને દેશના આર્થિક પાટનગર મુંબઇ વચ્ચે દેશનો સૌથી લાંબો એકસપ્રેસ નેશનલ હાઇવે 2 વર્ષ પછી આપણે જોઇ શકીશું. આ હાઇ-વેની લંબાઇ 1350 કિમી રહેશે.આ રાજમાર્ગના નિર્માણ પાછળ સરકાર રૂા.900 અબજનો ખર્ચ કરશે. આ હાઇ-વે દેશના પાંચ રાજયોમાંથી પસાર થશે. જેમાં ગુજરાત ઉપરાતં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીનો સમાવેશ થાય છે.
કેન્દ્રીય પરિવહન મંત્રી નિતિન ગડકરીએ ટવીટ્ મારફત આ જાણકારી આપી છે જેમાં વિડીયો પણ શેર કરવામાં આવ્યો છે. આ હાઇ-વેનો પ્રારંભ 2018માં થયા પછી 2019ની 9મી માર્ચે હાઇ-વેનું ભુમિપૂજન થયું હતું. 100 કિમીથી વધુ લંબાઇના માર્ગ માટેનો કોન્ટ્રાકટ અપાઇ ચૂકયો છે અને કામ ચાલુ છે.દિલ્હીના દૌસા સેકશન અને જયપુરને જોડવામાં આવશે. તેને જયપુર એકસપ્રેસ નામથી ઓળખવામાં આવશે. આ ઉપરાંત ગુજરાતમાં વડોદરાથી અંકલેશ્ર્વર સુધીનું સેકશન ઇકોનોમિક હબ ભરૂચને જોડશે. આ બન્ને સેકશન આગામી નવેમ્બર સુધીમાં પૂર્ણ થઇ જશે. જાન્યુઆરી 2023 સુધીમાં સંપૂર્ણ માર્ગ તૈયાર થશે.
આ માર્ગ તૈયાર થવાથી જયપુર, કિશનગઢ, અજમેર, કોટા, ચિતોડગઢ, ઉદયપુર, ભોપાલ, ઉજજૈન, ઇંદોર, અમદાવાદ અને સુરત જેવા મહત્વના આર્થિક શહેરો એકમેકથી જોડાઇ જશે. આ હાઇ-વે બન્યા પછી દિલ્હી અને મુંબઇ વચ્ચેનું અંતર 130 કિ.મી. ઓછુ થઇ જશે. હાલમાં દિલ્હીથી મુંબઇ પહોંચવા 24 કલાકનો સમય લાગે છે આ હાઇ-વે બન્યા પછી આ સમય ઘટીને 12 કલાક થઇ જશે. જેના કારણે દર વર્ષે 32 કરોડ લિટર ઇંધણની બચત થશે.
આ હાઇ-વેની આજુબાજુ 15,00,000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે. આ હાઇ-વે એશિયાનો પ્રથમ અને દુનિયાનો બિજો એવો હાઇ-વે હશે જેમાં જંગલના પ્રાણિઓ માટે એનિમલ ઓવરપાસ બનાવવામાં આવશે. એટલે કે, જંગલ નિચે ટનલ બનાવી હાઇ-વે કાઢવામાં આવશે. તેથી જંગલ યથાવત રહેશે. આ હાઇ-વેમાં ત્રણ અંડરપાસ અને પાંચ ઓવરપાસ રહેશે. આ હાઇ-વે બનાવવામાં પાંચ લાખ ટન લોખંડનો ઉપયોગ થશે.60 લાખ ટ્રકના ફેરા કરીને 50 કરોડ ઘન મીટર માટીને એક સ્થળેથી બીજા સ્થળે ખસેડવામાં આવશે.
આ હાઇ-વેના નિર્માણમાં 35 લાખ ટન સિમેન્ટનો ઉપયોગ થશે. જે દેશના સિમેન્ટના કુલ ઉત્પાદનનો એક ટકા હિસ્સો છે. આ હાઇ-વે નિર્માણ દરમ્યાન 15 લાખ શ્રમિક દિવસ લાગશે. જેના કારણે રોજગારીમાં મોટો વધારો થશે.
રાષ્ટ્રીય
જાણો પીએમ મોદીએ આજે પહેરેલ જામનગરની પાઘડી કોણે અને ક્યારે આપી હતી ભેંટ





પ્રકાશિત
5 hours agoon
January 26, 2021By
ખબર ગુજરાત

પ્રધાનમંત્રીએ આજે પહેરેલ જામનગરની બાંધણી ચર્ચામાં છે. દર વર્ષે પીએમ નરેન્દ્ર મોદી પ્રજાસત્તાક પર્વની ઉજવણી નિમિતે અલગ અલગ પ્રકારની પાઘડીઓ પહેરતા હોય છે. જયારે આજે તેઓએ જામનગરની પ્રખ્યાત બાંધણીની પાઘડી પહેરી છે. ઓરેન્જ અને યલો કલરની આ પાઘડીએ સૌ કોઈનું ધ્યાન આકર્ષિત કર્યું છે.
દેશ આજે 72મો ગણતંત્ર દિવસ મનાવી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ ગણતંત્ર દિવસના અવસર પર પહેરેલી પાઘડી ગુજરાતમાંથી ભેટ આપવામાં આવી છે. ગુજરાતના જામનગરમાં રાજવી પરિવાર દ્વારા આ પાઘડી ભેટ આપવામાં આવી છે. હાલમાં PM મોદી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા. આ અવસરે જામનગરના રાજવી પરિવારે ભેટ આપી હતી. 2015થી લઇ અત્યાર સુધીમાં દર વર્ષે ગણતંત્ર દિવસ પર PM મોદીની પાઘડી પણ ધ્યાન આકર્ષિત કરે છે. પીએમ મોદીએ આ વર્ષે જામનગરની પાઘડી પહેરીને જામનગર સહીત ગુજરાતભરનું ગૌરવ વધાર્યું છે. જામનગરના રાજવી પરિવારનો વૈશ્વિક સ્તરે વિશેષ આદર છે.
રાષ્ટ્રીય
આજે ગણતંત્ર દિવસની ઉજવણી પર મુખ્ય મહેમાન કોઈ જ નહી, ચોથી વખત બની આ ઘટના
દર વર્ષે વિદેશી મહેમાનો ગણતંત્રદિનની ઉજવણીમાં ભાગ લે છે





પ્રકાશિત
5 hours agoon
January 26, 2021By
ખબર ગુજરાત

દેશભરમાં આજે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી રહી છે. આજ નો દિવસ ઈતિહાસમાં કાયમ માટે અમર થઇ ગયો છે. કારણકે 26 જાન્યુઆરી 1950ના દિવસે ભારતનું બંધારણ અમલમાં આવ્યું હતું. અને ભારત સંપૂર્ણપણે પ્રજાસત્તાક બન્યો હતો. દેશમાં દર વર્ષે વિદેશી મહેમાનોની વિશેષ ઉપસ્થિતિમાં ગણતંત્રદિનની ઉજવણી કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે મુખ્ય અતિથી વિના જ ગણતંત્રદિનની ઉજવણી કરવામાં આવી રહી છે. તે પાછળનું કારણ છે કોરોના વાયરસની મહામારી.
બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સનએ તેના ભારતના પ્રવાસને રદ્દ કરવો પડ્યો છે. બોરીસ જોન્સન 26 જાન્યુઆરીના સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપવાના હતા. પરતું બ્રિટનમાં ફેલાઈ રહેલા નવા કોરોના સ્ટ્રેનના લીધે બોરીસ જોન્સનનો પ્રવાસ રદ થયો છે. જોન્સને કહ્યું કે કોરોનાની મહામારીને રોકવા પર ધ્યાન કેન્દ્રિત થાય તે માટે તેઓનું બ્રિટનમાં રહેવું જરૂરી છે. જણાવી દઈએ કે દેશના ઈતિહાસમાં આજે ચોથી વખત એવું બન્યું છે કે કોઈ વિદેશી મહેમાન વગર ગણતંત્રદિનની ઉજવણી થઇ હોય. આ અગાઉ 1952, 1953 અને 1966ના વર્ષમાં વિદેશી મહેમાનો વગર પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી. કોરોના વાયરસની મહામારીના લીધે આ વર્ષે ઉજવણીમાં ઘણા ફેરફારો પણ કરવામાં આવ્યા છે.


જામવાડીમાં માનસિક બીમારીથી કંટાળી યુવાને જિંદગી ટૂંકાવી



ભાણવડ તાલુકા સેવાસદન ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો



જામનગર બાર એસોસીએશન દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો
ટ્રેન્ડીંગ
-
રાજ્ય2 weeks ago
અગ્રણીના પુત્રને ચડેલો BMWનો નશો ઉતારતી પોલીસ
-
જામનગર3 weeks ago
હત્યાના ગુનામાં બે વર્ષથી ફરારી આરોપીને ઝડપી લેતુ એલસીબી
-
જામનગર3 weeks ago
જામનગર શહેરમાંથી ક્રિકેટનો ડબ્બો ચલાવતા બે શખ્સ ઝડપાયા
-
રાજ્ય1 week ago
ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પર સોનારડી નજીક બે કાર વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત