સ્પોર્ટ્સ
IPL રમાડવા માટે BCCI અધ્યક્ષ ગાંગુલી આશાવાદી
IPL રમાડવા માટે BCCI અધ્યક્ષ ગાંગુલી આશાવાદી

પ્રકાશિત
8 months agoon
By
ખબર ગુજરાત

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા (BCCI)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ને જલ્દી કરાવવાના સંકેત આપ્યા છે. તેણે ગુરુવારે કહ્યું કે, IPL માટે બધા સંભવિત વિકલ્પો પર ચર્ચા કરવામાં આવી રહી છે. દર્શકો વગર પણ ટૂર્નામેન્ટ થઈ શકે છે.
ગાંગુલીએ કહ્યું કે, “BCCI આ વર્ષે IPL કરાવવા માટેના તમામ સંભવિત વિકલ્પો પર કામ કરી રહી છે. પછી ભલેને ટૂર્નામેન્ટ પ્રેક્ષકો વિના યોજવી પડશે. આ અંગેનો નિર્ણય ટૂંક સમયમાં લેવામાં આવશે.” તાજેતરમાં જ ગાંગુલીએ કહ્યું હતું કે, IPL રદ્દ થાય તો બોર્ડને 4 હજાર કરોડનું નુકસાન થશે.
BCCI અધ્યક્ષે કહ્યું કે, તાજેતરમાં જ ઘણા ભારતીય અને વિદેશી ખેલાડીઓએ IPLમાં રમવા માટેની ઇચ્છા વ્યક્ત કરી છે. ચાહકો, ફ્રેન્ચાઇઝ, ખેલાડીઓ, બ્રોડકાસ્ટર્સ, સ્પોન્સર્સ અને તમામ સ્ટેકહોલર્ડ આ વર્ષે IPL થવાની અપેક્ષા રાખે છે. BCCI ટૂંક સમયમાં IPLના ભવિષ્ય અંગે નિર્ણય લેશે.
ગાંગુલીએ તમામ સંબંધિત સંસ્થાઓને લખેલા પત્રમાં કહ્યું છે કે, “BCCI તમામ રાજ્ય ક્રિકેટ એસોસિયેશન માટે કોવિડ -19 સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસિજર (SOP) એટલે ગાઈડલાઇન્સ તૈયાર કરવા પર કામ કરી રહ્યું છે. આ ગાઈડલાઇન્સ દ્વારા તમામ એસોસિએશનો પોતપોતાના ક્ષેત્રમાં ક્રિકેટ શરૂ કરી શકશે. તેણે કહ્યું કે BCCIનો પ્રયાસ આગામી બે મહિનામાં ઘરેલૂ ક્રિકેટ અને ટ્રેનિંગ શરૂ કરવાનો છે.
ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ બુધવારે T-20 વર્લ્ડ કપના ભવિષ્ય વિશે વર્ચુઅલ મીટિંગ યોજી હતી. આમાં વર્લ્ડ કપ અંગેનો નિર્ણય એક મહિના માટે મોકૂફ રાખવામાં આવ્યો છે. આ ટૂર્નામેન્ટ ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી યોજાવાની છે. જો સૂત્રોની વાત માનીએ તો, BCCI વર્લ્ડ કપને લઈને ICCના નિર્ણયની રાહ જોઈ રહ્યું છે.
તમને વાંચવા ગમશે
-
સૌરાષ્ટ્ર યુનીવર્સીટી ફરી વિવાદમાં, Bscના ફીઝીક્સના પેપરમાં પૂછી નાખ્યા કેમેસ્ટ્રીના સવાલો
-
સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ પૂર્વે કોંગ્રેસમાં નેતાઓ બનવાની કાર્યકરોમાં હોડ
-
ગણતંત્ર દિન નિમિતે લાલ કિલ્લા પર ધાર્મિક ધ્વજ ફરકાવનારના માતા-પિતાની હાલત થઇ કંઇક આવી
-
પોરબંદરના ફાલ્ગુનીબેન મજીઠીયા બન્યા મીસીસ ઇન્ડિયા રનર્સઅપ
-
સીસીટીવીનો ઉપયોગ કરીને લોકોને ખોટી રીતે ઇ-મેમો આપવામાં આવે છે !
-
રામમંદિર નિર્માણ માટે પોરબંદર માર્કેટ યાર્ડમાંથી 3 લાખ 51 હજારનો ફાળો એકત્ર
સ્પોર્ટ્સ
ઇંગ્લેન્ડની ટીમ ચેન્નાઇ પહોંચી
છ દિવસ કવોરન્ટાઇનમાં રહેવાની વ્યવસ્થા: શ્રીલંકા સામેના વિજયથી મહેમાન ટીમ આત્મવિશ્ર્વાસથી છલોછલ





પ્રકાશિત
5 hours agoon
January 28, 2021By
ખબર ગુજરાત

શ્રીલંકાને ક્લિનસ્વિપ કર્યાં બાદ ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ બુધવારે ભારત પહોંચી છે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચાર ટેસ્ટની શ્રેણીના પહેલા બે મેચ ચેન્નાઇમાં રમાવાના છે. પહેલો મેચ પ ફેબ્રુઆરીથી શરૂ થશે. જો રૂટના સુકાનીપદ હેઠળની ઇંગ્લેન્ડની ટીમ અને સપોર્ટ સ્ટાફ ખાસ વિમાન દ્રારા સવારે ચેન્નાઇ આવી પહોંચ્યા હતા. વિમાની મથકેથી ઇંગ્લેન્ડની ટીમ સીધી જ હોટેલ પહોંચી ગઇ હતી જ્યાં બન્ને ટીમ માટે બાયો બબલ બનાવવામાં આવ્યું છે.
ભારતનો સ્ટાર બેટસમેન રોહિત શર્મા અને ઉપસુકાની અજિંકય રહાણે આગલી રાત્રે અહીં પહોંચી ચૂકયા હતાં. જ્યારે ચેતેશ્વર પુજારા, ઋષભ પંત અને જસપ્રિત બુમરાહ બુધવારે સવારે પહોંચ્યા હતા. કોચ રવિ શાત્રીનું પણ ચેન્નાઇમાં આગમન થયું છે. જ્યારે કેપ્ટન વિરાટ કોહલી બુધવારે મોડી સાંજે ટીમ સાથે જોડાયો હતો. બન્ને ટીમ હોટેલ લીલા પેલેસમાં રોકાણ કરશે જ્યાં બાયો બબલ બનાવાયું છે. ખેલાડીઓ 6 દિવસ ક્વોરન્ટાઇમાં રહ્યા બાદ 2 ફેબ્રુઆરીથી અભ્યાસ શરૂ કરશે. ખેલાડીઓના ત્રણ કોરોના ટેસ્ટ પણ થશે. શ્રેણીનો બીજો મેચ 13મીથી રમાશે.
ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયા સામે 2-1ના ઐતિહાસિક વિજયથી આત્મવિશ્વાસથી ઓતપ્રોત છે. જ્યારે પ્રવાસી ટીમ ઇંગ્લેન્ડે પણ શ્રીલંકા સામે 2-0થી જીત મેળવીને શાનદાર દેખાવ કર્યોં છે. આથી આ શ્રેણી રોમાંચક બની રહેશે.
ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટે કહ્યું છે કે ભારત સામેની ટેસ્ટ શ્રેણી ઘરથી દૂર એક મોટો પડકાર બની રહેશે. આ દરમિયાન બાયો બબલમાં રહીને ખેલાડીઓએ એક-બીજાનું ધ્યાન પણ રાખવું પડશે. શ્રીલંકા સામેની સિરીઝ 2-0થી જીત્યા બાદ રૂટે સ્વીકાર્યું હતું કે ભારત સામેની શ્રેણી ચુનૌતિપૂર્ણ હશે. અમારે માટે આ એક કઠિન પડકાર છે. ઇંગ્લેન્ડના સુકાની જો રૂટે વધુમાં જણાવ્યું કે ભારતની ધરતી પર સાતત્ય જાળવી રાખવું પડશે. મને વિશ્વાસ છે કે ખેલાડીઓ આવું કરી શકશે. ખેલાડીઓને ખબર છે કે ભારતમાં અલગ પ્રકારનો જ પડકાર છે. શ્રીલંકા સામેની જીતથી ખેલાડીઓ આત્મવિશ્વાસથી ભરેલા છે. તેઓ ભારત સામેના પડકારનો સારી રીતે સામનો કરી લેશે. અમારે મજબૂત બની રહેવું પડશે. સુધારો કરતા રહેશું. શ્રીલંકા સામે જેટલો અનુભવ હાંસલ કરવાનો હતો તેટલો કર્યોં. ભારત સામે અલગ અલગ પડકાર હશે અને અલગ અલગ પરિસ્થિતિ હશે.
સ્પોર્ટ્સ
ટવેન્ટી-20 વર્લ્ડકપમાં કઇ મેચ ‘ફિકસ’ થયેલી ?
કયા બે ખેલાડીઓ પર ICC એ પ્રતિબંધ ફરમાવ્યો ?





પ્રકાશિત
23 hours agoon
January 27, 2021By
ખબર ગુજરાત

ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એ બે ખેલાડીઓ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. આ બે ખેલાડીઓ પર મેચ ફિકસીંગનો આરોપ હતો. ICCની તપાસમાં આ આરોપ ખરો સાબિત થયો છે. આ ખેલાડીઓ સંયુકત આરબ અમીરાત (UAE)ના છે. તેમનાં નામો મોહમ્મદ નાવિદ અને શૈમાન અનવર છે.
2019માં રમાયેલ ટવેન્ટી-20 વર્લ્ડકપ ક્વોલીફાયર મેચમાં આ ખેલાડીઓએ મેચ ફિકસીંગમાં ભાગ લીધો હતો. આ બંનેને ગઇકાલે મંગળવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.નાવિદ ટીમનો પૂર્વ કેપ્ટન છે. શૈમાન ઓપનિંગ બેટસમેન છે.
સ્પોર્ટ્સ
8 વર્ષથી એક પણ ટ્રોફી વિના, કોહલી કેપ્ટન શા માટે?: ગૌતમ ગંભીર





પ્રકાશિત
6 days agoon
January 22, 2021By
ખબર ગુજરાત

આઇપીએલ-2021ની સિઝન માટે તમામ ટીમો તૈયારી કરી રહી છે. ખેલાડીઓની પસંદગી અને રિલીઝની પ્રક્રિયાઓ ચાલી રહી છે. એપ્રિલમાં ભારત ખાતે આ રમતોત્સવ યોજાશે.
આ બધી તૈયારીઓ વચ્ચે રોયલ ચેલેન્જર બેંગલોરના કેપ્ટન વિરાટ કોહલી પર ગૌતમ ગંભીરે નિશાન તાકયું છે. સ્ટાર સ્પોર્ટ્સના શો ક્રિકેટ કનેકટેડમાં ગંભીરે કહ્યું કે, 8 વર્ષથી આપ એકપણ ટ્રોફી મેળવી શકયા નથી. આ લાંબો સમય છે. કોઇ એવો ખેલાડી કે, કેપ્ટન દેખાડો જે 8 વર્ષથી કોઇ ટાઇટલ મેળવ્યા વિના રમી રહ્યો હોય.
ગૌતમે કહ્યું: આ પ્રકારની નિષ્ફળતા માટે કેપ્ટનની જવાબદારી હોવી જોઇએ. હું કોહલી વિરૂધ્ધ કશું કહેવા ઇચ્છતો નથી પરંતુ કોહલીએ પોેતે આગળ આવીને કહેવું જોઇએ કે હા, હું આ માટે જવાબદાર છું. અત્રે નોંધનીય છે કે, આવતા મહિને આઇપીએલ માટે ખેલાડીઓની હરાજી થવાની છે. આરસીબીએ હાલમાં પોતાના 10 ખેાલડીઓને રિલીઝ કર્યા છે. આ રીતે મોટી સંખ્યામાં આરસીબીએ ખેલાડીઓને રિલીઝ કર્યા પછી ગંભીરે આ ફ્રેન્ચાઇઝી પર આ પ્રકારનો કટાક્ષ ટીવી શોમાં કર્યો છે. ક્રિસ મોરિસ અને ઉમેશ યાદવને આરસીબીએ રિલીઝ કર્યા તેના પર પણ ગંભીરે સવાલો ઉઠાવ્યા હતાં.


સૌરાષ્ટ્ર યુનીવર્સીટી ફરી વિવાદમાં, Bscના ફીઝીક્સના પેપરમાં પૂછી નાખ્યા કેમેસ્ટ્રીના સવાલો


સ્થાનિક સ્વરાજયની ચૂંટણીઓ પૂર્વે કોંગ્રેસમાં નેતાઓ બનવાની કાર્યકરોમાં હોડ


ગણતંત્ર દિન નિમિતે લાલ કિલ્લા પર ધાર્મિક ધ્વજ ફરકાવનારના માતા-પિતાની હાલત થઇ કંઇક આવી
ટ્રેન્ડીંગ
-
રાજ્ય2 weeks ago
અગ્રણીના પુત્રને ચડેલો BMWનો નશો ઉતારતી પોલીસ
-
જામનગર3 weeks ago
હત્યાના ગુનામાં બે વર્ષથી ફરારી આરોપીને ઝડપી લેતુ એલસીબી
-
જામનગર3 weeks ago
જામનગર શહેરમાંથી ક્રિકેટનો ડબ્બો ચલાવતા બે શખ્સ ઝડપાયા
-
રાજ્ય1 week ago
ખંભાળિયા-દ્વારકા ધોરીમાર્ગ પર સોનારડી નજીક બે કાર વચ્ચે અકસ્માતમાં ત્રણના મોત