લદ્દાખથી લઈને અરુણાચલ પ્રદેશ સુધી બોર્ડર પર ઘુષણખોરીની લાગમાં બેસેલાં ચીનની ચોરી જ્યારે ભારત પકડી લે છે તો તે ઉપરથી ભારતને જ શીખામણ આપવા લાગે છે. ચીનના પ્રવક્તાએ ભારતને એકપક્ષીય પગલું ભરવા માટે કહ્યું છે. સિક્કિમના નાકુ લામાં ચીની સૈનિકોની ઘુષણખોરીની કોશિશને ભારતીય સેનાએ નાકામ કરી દીધી હતી અને બંને પક્ષોની વચ્ચે મામૂલી અથડામણ થઈ હતી.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે, અમારા સૈનિક ચીન-ભારત સીમાક્ષેત્ર પર શાંતિ કાયમ રાખવા માટે સમર્પિત છે. ચીન ભારતથી અપીલ કરે છે કે ચીનની જેમ અડધા રસ્તે સુધી આવે અને કોઈપણ એકપક્ષીય પગલું ભરવાથી બચે જેનાથી સીમા પર સ્થિતિ ખરાબ થાય. ચીન એ પણ અપીલ કરે છે કે બોર્ડર પર શાંતિ સ્થાપિત કરવા માટે પ્રેક્ટિકલ એક્શન લો.
ભારતીય જવાનોએ LAC પાસે આવેલાં નાકુ લા સેક્ટરમાં શનિવારની બપોરે ઘુષણખોરીનો પ્રયાસ કરી રહેલાં ચીની સૈનિકોને પરત ખદેડી દીધા હતા. બંને તરફના જવાનો વચ્ચે હાથાપાઈ થઈ હતી. પણ કોઈપણ પ્રકારના હથિયારનો ઉપયોગ થયો ન હતો. ભારતીય સેનાએ તેને મામૂલી ઝડપ ગણાવી છે. અને સ્થાનિક આર્મીના કમાન્ડરોએ મામલાને ઉકેલી પણ દીધો હતો.